Chapter : નમાઝ
(Page : 333-334)
સવાલ :– હાલની પરિસ્થિતી મુજબ વરસાદ જેવી અલ્લાહની રહમત બંધ છે તો શું અમલ કરવો જોઈએ ?
જવાબ :– પોતાના ગુનાહોથી ઈસ્તિગફાર કરવો જોઈએ. ઝકાત બાકી હોય તો અદા કરી દેવી જોઈએ, ગરીબોને નફલ સદકહ આપવો જોઈએ, લોકોને ભેગા કર્યા સિવાય સલાતુલ હાજત દરેક માણસે ગેર મકરૂહ વખતમાં પઢી દુઆ કરવી જોઈએ, યાસીન શરીફ ખત્મ કરી પણ દુઆ કરવાનો અમલ સલફથી સાબિત છે અને પીવા, ધોવા તથા જાનવરોને પીવડાવવા અને ખેતી માટે પૂરતા પ્રમાણમાં કૂવા અને નહેરનું પાણી ન હોય અને ખૂબ તંગી ઉભી થાય તો ઈસ્તિસ્કાની નમાઝ પણ પઢી શકાય છે. (આલમગીરી–૧, શામી–૧)
Log in or Register to save this content for later.