[ર૬ર ] ફર્ઝ નમાઝ પછી દુઆઈય્યહ સજદહ નાજાઈઝ છે

Chapter : નમાઝ

(Page : 336-337)

સવાલ :– ડિસેમ્બર ૮૪ના દારુલ ઉલૂમના અંકમાં ‘હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની પયરવીના શિર્ષક હેઠળ વિત્રની નમાઝ પછીના સજદહ વિશે જે લેખ લખાયો છે, તો એ વિશે પૂછવાનું કે ઈશાની નમાઝ બાદ સજદહ કરવો ફકત રમઝાનમાં જ નાજાઈઝ છે કે પછી રમઝાન સિવાય અન્ય દિવસોમાં પણ ઈશા–વિત્ર બાદ સજદહ કરવો નાજાઈઝ છે? અને કયા પ્રકારનો સજદહ કરવો નાજાઈઝ છે ? સજદએ સહવ કે સજદએ દુઆઈય્યહ ?

જવાબ :– સજદહના પાંચ પ્રકાર છે :–

               (૧)  નમાઝનો ફર્ઝ સજદહ

               (ર)  નમાઝમાં સહવનો વાજિબ સજદહ

               (૩)  તિલાવતનો વાજિબ સજદહ

               (૪)  મન્નતનો વાજિબ સજદહ

               (પ)  શુક્ન અને દુઆનો સજદહ.

               મજકૂર મઝમૂનમાં સજદહથી મુરાદ ઉપર મુજબના સજદાઓમાંથી પાંચમાં પ્રકારનો સજદહ એટલે કે શુક્ન અને દુઆનો સજદહ મુરાદ છે. શુક્ન અને દુઆના સજદહના જાઈઝ હોવામાં ઉલમાએ કિરામનો મતભેદ છે. મુફતા બિહી (ફતવા પ્રાપ્ય) મંતવ્ય મુજબ મજકૂર સજદહ જાઈઝ છે પરંતુ ફર્ઝ નમાઝ બાદ અથવા વિત્રની નમાઝ બાદ તે સજદહ કરવો નાજાઈઝ છે. કારણકે ત્યારે નાવાકિફ લોકો પણ હાજર હોય છે, જેઓના મજકૂર સજદહ વિશે ગલત માન્યતામાં ફંસાય જવાનો ભય છે કે તેઓ આ ગેર સુન્નત સજદહને સુન્નત સમજવા લાગશે માટે શુક્ન અને દુઆનો સજદહ કોઈ ફર્ઝ, વિત્ર અને સુન્નત નમાઝ પછી ન કરવામાં આવે. કારણકે તે સમયે કરવો મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે અને રમઝાન તથા ગેર રમઝાન બધા જ દિવસોનો આ હુકમ છે. ફકત રમઝાન માટે મર્યાદિત નથી.

               બાકી બીજા ચાર પ્રકારના સજદાઓ ઈશા–વિત્ર અને બીજી કોઈ નમાઝ બાદ પણ વિના કરાહતે કરવા જાઈઝ છે.

(‘શામી ૧/પર૪, ‘કબીરી ૬૧૬)

Log in or Register to save this content for later.