[ર૪૯] સિર્રી નમાઝમાં કિરાઅતના અવાઝની મિકદાર

Chapter : નમાઝ

(Page : 314)

સવાલ :– આપણે સિર્રી નમાઝ (કિરાઅત વગરની) એકલા પઢતા હોય, સુન્નત હોય અથવા ફર્ઝ, વાજિબ અથવા નફલ હોય આપણે કિરાઅત પઢીયે અને આપણી કિરાઅતના અમુક અલફાઝનો આવાઝ બાજુ વાળો સાંભળે તો આપણી નમાઝ સહીહ થઈ જશે કે સજદએ સહવ કરવો પડશે ?

જવાબ :– આપણા નજીક ઉભેલા એક બે માણસો આપણી સિર્રી  નમાઝની  કિરાઅતના  અમુક  શબ્દો  સાંભળે તો આપણી નમાઝમાં કોઈ કમી નહિં આવે અને સજદએ  સહવ કરવો પણ વાજિબ નહિં થાય.        (શામી ભા.૧/૩પ૯)

Log in or Register to save this content for later.