[ર૪૮] મુકતદીઓ ઈકામત વખતે કયારે ઉભા થાય?

Chapter : નમાઝ

(Page : 313-314)

સવાલ :– આપણે મસ્જિદમાં બેઠા હોય અને ફર્ઝ નમાઝની જમાઅત ઉભી થઈ જાય તો આપણે કયારે ઉભા થવુ, સુન્નત તરીકો શું છે? અમુક માણસો અશ્હદુ અન્ન મુહંમ્મદ ર્રસૂલુલ્લાહ પછી ઉભા થાય છે. તો આપણે કયારે ઉભા થવાનું? સુન્નત તરીકો  જણાવશો.

જવાબ :– જો તકબીર (ઈકામત)ની  શરૂઆત વખતે ઈમામ સાહેબ મુસલ્લા ઉપર આવી ગયા હોય તો તેમને  જોઈને શરૂ ઈકામતથી  જ મુકતદીઓએ ઉભા થઈ જવું સુન્નત છે.

               હઝ. અબૂ કતાદહ (રદિ.) નકલ કરે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે જયારે નમાઝની ઈકામત કહેવામાં આવે તો જયાં સુધી મને ન જુઓ ત્યાં સુધી ઉભા ન થાઓ.      (બુખારી શરીફ ૧/૮૮)

Log in or Register to save this content for later.