[ર૪૪] મકરૂહ વખતમાં સજદએ તિલાવતઅને નમાઝે જનાઝહ

Chapter : નમાઝ

(Page : 311)

સવાલ :–  શું મશહૂર ત્રણ મકરૂહ વખતોમાં સજદએ તિલાવત અને નમાઝે જનાઝહ ના જાઈઝ અને મકરૂહ છે?

જવાબ :– જો સજદહની આયતની તિલાવત મઝકૂર ત્રણ મકરૂહ વખત સિવાય અન્ય કોઈ વખતમાં કરવામાં આવી હોય અને મય્યિતને મઝકૂર મકરૂહ વખતથી પહેલાં ગુસલ અને કફન આપીને ફારિગ થયા હોય    અને માત્ર પહેલેથી નકકી કરેલા વખત મુજબ મોડું કરવામાં આવ્યું હોય તો આ સૂરતમાં મઝકૂર મકરૂહ વખતમાં સજદએ તિલાવત કરવો અને જનાઝહની નમાઝ પઢવી જાઈઝ અને સહીહ નથી અને જો સજદહની આયત મકરૂહ વખતમાં જ પઢી તો તે જ વખતે સજદહ કરવો જાઈઝ છે, પરંતુ અફઝલ એ છે કે ગેર મકરૂહ વખતમાં કરવામાં આવે અને મય્યિત ના ગુસલ–કફનથી મકરૂહ વખતમાં જ ફારિગ થયા તો તે જ વખતે જનાઝહ ની નમાઝ પઢવી પણ જાઈઝ છે. (શામી ૧/રપ૦, કબીરી ર૩૭)

Log in or Register to save this content for later.