[ર૪૩] ગુરૂબ પહેલાં પણ મકરૂહ વખત છે

Chapter : નમાઝ

(Page : 310-311)

સવાલ :– ફર્ઝ, વાજિબ, કઝા નમાઝો અને જનાઝહની નમાઝ અને નફલ નમાઝ સૂર્ય ગુરૂબ થતાં પહેલાં છેલ્લી ઘડી સુધી પઢવી કરાહત વગર જાઈઝ  છે?

જવાબ :– સૂરજ ગુરૂબ થવાની શરૂઆતથી પહેલાં છેલ્લી ઘડી સુધી કઝા નમાઝો પઢવી જાઈઝ નથી, જો છેલ્લી ઘડી સુધી કઝા નમાઝો પઢવામાં આવશે તો ગૂરૂબથી પહેલાં સૂરજમાં લાલાશ (અથવા પીળાશ) શરૂ થયા પછી જે કઝા નમાઝો પઢી હશે તે સહીહ અને જાઈઝ નહિ ગણાય અને તે ફરી પઢવી પડશે અને તે વખતે નફલ નમાઝો પઢવી પણ ના જાઈઝ અને મકરૂહે તહરીમી છે.

               જેવી રીતે આફતાબ ગુરૂબ થવાનો સમય મકરૂહ અને નાજાઈઝ વખત છે, એવી રીતે ગુરૂબે આફતાબથી પહેલાં સૂરજમાં પીળાશ આવી જાય એટલે કે ગુરૂબથી પહેલાં લગભગ પંદર મિનીટનો સમય પણ મઝકૂર નમાઝો માટે મકરૂહ અને નાજાઈઝ વખત છે.  (શામી ૧/ર૪૯)

               હદીસ શરીફમાં સૂરજ ગુરૂબ થવાથી પહેલાંના અને ગુરૂબથી નજદીકના વખતને પણ ગુરૂબની જેમ મકરૂહ બતાવેલ છે, માટે ફુકહાએ કિરામે ગુરૂબથી પહેલાં આફતાબ પીળા પડવાના સમયને પણ ગુરૂબના સમયની જેમ મકરૂહ જ બતાવેલ છે.  (તહતાવીઃ ૧૦૦, કબીરીઃ ર૩૬)

Log in or Register to save this content for later.