Chapter : નમાઝ
(Page : 301-302)
સવાલ :–(૧) કયા પ્રકારની બીમારી અને તકલીફમાં મુસલમાન માટે ફર્ઝ અને વાજિબ નમાઝ બેસીને પઢવી જાઈઝ છે ?
જવાબ :– (ર) જે મુસલમાન એવો બીમાર હોય કે તેને ઉભા રહીને નમાઝ પઢવામાં અસહય તકલીફ થતી હોય અથવા પગો કે કમરમાં એવું દર્દ હોય કે ઉભા ન રહી શકાતું હોય અથવા પોતાના ઝાતી અનુભવથી કે માહિર મુસલમાન ડોકટરોના અભિપ્રાય પ્રમાણે ઉભા રહેવાથી બીમારી વધી જવાનો અથવા બીમારી લંબાઈ જવાનો ભય હોય અથવા ઉભા રહેવાથી ચકકર આવતા હોય અને ઉભા રહે તો પડી જવાનો ભય હોય તો આવી બીમારી અને તકલીફમાં બેસીને નમાઝ પઢવી જાઈઝ છે. (શામી – ૧/પ૦૮)
જે નમાઝી સજદહ કરી શકે અને કિરાઅત વખતે થોડીવાર ઉભો રહી શકે, તે નમાઝી જેટલીવાર ઉભો રહી શકતો હોય તેટલી વાર તેણે ફર્ઝ અને વાજિબ નમાઝમાં ઉભા રહેવું ઝરૂરી છે, આવા નમાઝીએ શરૂ કિરાઅતથી બેસવું જાઈઝ નથી.
જે નમાઝી ફર્ઝ અને વાજિબ નમાઝમાં દીવાલ અથવા થાંભલા સાથે ટેક લગાવીને ઉભો રહી શકતો હોય તેણે દીવાલ કે થાંભલાના સહારાથી ઉભા રહી નમાઝ પઢવી ઝરૂરી છે. (શામી–૧/પ૦૯)
આજકાલ સામાન્ય રીતે આ અમલ પ્રચલિત છે કે ઘણાં લોકો સામાન્ય તાવ અને થોડી તકલીફમાં પણ બેસીને ફર્ઝ નમાઝ પઢે છે, હાલાંકે આ જ માણસો આવી સામાન્ય તાવ અને તકલીફની હાલતમાં દસ–પંદર મિનીટ બલ્કે એથી વધુ સમય ઉભા રહીને આમ તેમની વાતો કરે છે, (આવી સામાન્ય તકલીફમાં ફર્ઝ – વાજિબ નમાઝ બેસીને પઢવી જાઈઝ નથી) (ઉમ.ફિકહ ભા–ર/૪૦ર)
Log in or Register to save this content for later.