[રપ૧] મસ્બૂકનું ઉભા થતી વખતે તકબીર કહેવું

Chapter : નમાઝ

(Page : 316)

સવાલ :–મસ્બૂક માણસ જયારે પોતાની નમાઝ પૂરી કરવા માટે ઈમામ ની સલામ પછી ઉભા થાય ત્યારે મસ્બૂકે તકબીર કહીને ઉભું થવું ફર્ઝ છે કે વાજીબ ? અને જો તકબીર કહેવાનું ભૂલી જાય તો સજદએ સહ્‌વ વાજીબ થશે કે કેમ ?

જવાબ :– મસ્બૂક પોતાની છૂટેલી નમાઝ પઢવા ઈમામની પહેલી સલામ પછી ઉભો થાય તો તેણે ઉભા થતી વખતે તકબીર કહેવી ફર્ઝ કે વાજિબ નથી, પરંતુ તેણે તકબીર કહેવી મુસ્તહબ છે, કારણ કે હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.) નમાઝમાં દરેક ઉઠવાના અને ઝુકવાના સમયે તકબીર પઢતા હતા.  (બુખારી શરીફ ભા.૧/૧૬૧)

Log in or Register to save this content for later.