Chapter : નમાઝ
(Page : 315)
સવાલ :– ઈમામ સાહેબ ફર્ઝ નમાઝ પઢાવતા હતા અને ઈમામ સાહેબથી કોઈ ગલતી થઈ ગઈ જેનાથી નમાઝ ફાસિદ થઈ ગઈ, જેમકે એવી કોઈ ગલતી થઈ કે કોઈ મુકતદીએ લુકમો ન આપ્યો અથવા ભૂલ ન બતાવી, નમાઝ પૂરી થઈ ગઈ, પછી બધાને ખબર પડી, ઈમામ સાહેબે ભુલ કબૂલ કરી લીધી અને નમાઝ પાછી પઢવામાં આવી, હવે ઈમામ સાહબે જે ફાસિદ થયેલી નમાઝ પઢાવી તેમાં જે મસ્બૂક મુકતદીઓ હતા તે નમાઝ તોડીને બીજી નમાઝ ઈમામ સાહેબ પઢાવે તેમાં શામેલ થઈ જાય અથવા શું કરે ? અમુક માણસ મસ્બૂક ને કહે કે નમાઝ તોડી નાખો. શું આવું તે કહી શકે ?
જવાબ :– જયારે ઈમામ સાહેબથી નમાઝમાં કોઈ એવી ભૂલ થાય કે જેનાથી નમાઝ ફાસિદ થઈ જાય અને તે નમાઝ ફરી પઢવી ફર્ઝ થઈ જાય તો ફાસિદ થઈ ગયેલ નમાઝમાં શામેલ મસબૂક મુકતદીએ પોતાની નમાઝ તોડી નાખવી અને ખતમ કરી દેવી જોઈએ અને તે ફાસિદ થયેલી નમાઝની બીજીવાર પઢવામાં આવતી જમાઅતમાં ઈમામ સાહેબ સાથે શરૂથી જ શામેલ થઈ જવું જોઈએ, કારણકે ઈમામ સાહેબની નમાઝ ફાસિદ થઈ જવાથી મસબૂક અને ગેર મસબૂક બધા જ મુકતદીઓની નમાઝ ફાસિદ થઈ ગયેલી ગણાશે, માટે મસબૂકે હવે તે ફાસિદ થયેલ નમાઝ પૂરી પઢવી ઝરૂરી નથી અને જાઈઝ અને સહીહ પણ નથી, માટે પોતાની છૂટેલી રકઅતો પઢયા વગર નમાઝ તોડીને ઈમામ સાહેબ સાથે શરીક થઈ જવું જોઈએ. (શામી ભા.૧/૩૯૭)
Log in or Register to save this content for later.