[૩૮] હવાની બીમારીથી માણસ મઅઝૂર કયારે ગણાય?

Chapter : તહારત

(Page : 73)

સવાલ :– મારા એક સાથીને હવા ખારિજ થવાની બીમારી છે, એટલે કે અમુક વખતે વુઝૂ બનાવતા બનાવતા ત્રણ–ચાર વાર હવા ખારિજ થાય છે, અમુક વખતે પાંચથી દશ મિનિટ સુધી વુઝૂ ટકે પણ છે, તો શરીઅતની રૂએ મઅઝૂર ગણાશે કે કેમ ?

જવાબ :– જો મજકૂર માણસ હવા ખારિજ થવાની બીમારીમાં એટલો સપડાયેલો રહે કે કોઈ પણ એક ફર્ઝ નમાઝના પૂરા સમયમાં એટલો વખત પણ તે બીમારીથી ખાલી ન રહે કે જેમાં વુઝૂ અને ફર્ઝ નમાઝના ફકત ફર્ઝો અદા કરી વુઝૂ નમાઝ અદા કરી શકે તો મઅઝૂર થઈ જશે અને આ હુકમ શરૂમાં મઅઝૂર બનવાનો છે અને ઉપર મુજબ મઅઝૂર થઈ ગયા પછી મઅઝૂર બાકી રહેવા માટે તો દરેક ફર્ઝ નમાઝના પૂરા સમયમાં એકવાર હવા ખારિજ થઈ જવી પણ કાફી છે, પૂરા સમયનું બીમારીથી ઘેરાયેલા રહેવું જરૂરી નથી.

                આ વિગતવાર હુકમને સામે રાખી મજકૂર માણસ શરીઅતની રૂએ પોતાના મઅઝૂર હોવા ન હોવાની હાલત સમજી શકે છે. (‘દુર્રે મુખ્તાર, ‘શામી ભાગ–૧/ ર૦ર)

Log in or Register to save this content for later.