Chapter : તહારત
(Page : 70)
સવાલ :– નમાઝમાં ઘણી વખત વુઝૂ તૂટી જાય છે. મસ્જિદમાં ગરમ પાણીની વ્યવસ્થા નથી. મારૂં શરીર એવું છે કે ઠંડા પાણીથી વુઝૂ કરી શકતો નથી, આથી લાચારીએ ઘરે નમાઝ પઢું છું, ઘરે પણ આવી હાલત થઈ જાય છે, કેટલીક વખત વહમ પણ થાય છે કે વુઝૂ રહયું કે નહિં ? આથી ઘરે ટૂંકી ટૂંકી આયતો એકદમ ઉતાવળથી પઢીને નમાઝ અદા કરું છું, મસ્જિદમાં જવાની ઈચ્છા થાય છે, પણ ઉપરના કારણોસર જઈ શકતો નથી. કુર્આન શરીફની તિલાવત પણ કરી શકતો નથી, તેમજ મુનાજાતે મકબૂલ પણ પઢી શકતો નથી, તો મારે શું કરવું ?
જવાબ :– જો સવાલમાં લખવા મુજબ ઠંડા પાણીથી વુઝૂ ન થઈ શકે અને ઘર ઉપર ગરમ પાણીથી વુઝૂ કરીને મસ્જિદે જાય તો જમાઅત સાથે નમાઝ પઢે એટલી વાર વુઝૂ બાકી ન રહેતું હોય તો ઘર ઉપર વુઝૂ કરી નમાઝ પઢી લેવામાં વાંધો નથી, અને જો જમાઅતથી નમાઝ પઢતાં સુધી વુઝૂ બાકી રહે એમ લાગતું હોય તો જમાઅતથી નમાઝ પઢવી જોઈએ, જો મસ્જિદે જઈ વુઝૂ તૂટી જાય તો ઘર ઉપર વાપસ આવી ગરમ પાણીથી વુઝૂ કરી ઘર ઉપર નમાઝ પઢી લે.
કુરઆન શરીફને હાથ લગાવ્યા સિવાય અથવા કલમ કે કપડાંથી પાના ઉઘાડી વગર વુઝૂએ કુરઆન શરીફ પઢી શકાય છે અને આવી હાલતમાં મુનાજાતે મકબૂલને વગર વુઝૂએ પકડી શકાય છે, પરંતુ આયતવાળી જગ્યાને હાથ ન લગાડે અને મુનાજાત વગર વુઝૂએ પઢી પણ શકાય છે. (શામી ભા–૧/ર૦૪)
Log in or Register to save this content for later.