[૩૦] વારંવાર મઝી નીકળે તો ?

Chapter : તહારત

(Page : 66)

સવાલ :–  મારા એક દોસ્તને ધાતની તકલીફ છે, હકીમોની ઘણી દવાઓ ખાય ચૂક્યો છે છતાં બીમારીમાં ફરક પડતો નથી, શાદી થઈ ચૂકી છતાં ફરક નથી, ઓરત સાથે બેસવા–ઉઠવાથી પણ વારંવાર મઝી નીકળે છે, કપડાં અને બદન ખરાબ થાય છે, કપડા વારંવાર બદલવા મુશ્કેલ છે અને બદન વારંવાર ધોવાથી પગ દુખે છે, પાણી ગરમ કરી ધોવાથી વારંવાર પાણી ગરમ કરવું એક મુશ્કેલી છે, ઓરત સાથે એક રૂમમાં રહેવાથી આ જ શિકાયત રહે છે તો આ પ્રકારની શિકાયત માટે નમાઝ બાબતનું શરઈ માર્ગદર્શન આપશો.

જવાબ :– હદીસ શરીફમાં છે કે આવી તકલીફ હઝરત અલી (રદિ.) અને હઝરત સહલ બિન હુનૈફ (રદિ.)ને પણ હતી, હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે તેઓને વુઝૂ કરવાનો અને કપડું ધોવાનો હુકમ આપ્યો હતો.   (તિરમિઝી શરીફ ભા–૧/૩૧)

Log in or Register to save this content for later.