[૧૯૬] મુસાફિર શહેરમાં ઝોહર પઢે

Chapter : નમાઝ

(Page : 259-260)

સવાલ :– જુમ્અહની નમાઝ માટે મુસાફિર હોવાની હાલતમાં શું હુકમ છે? જુમ્અહની નમાઝ જમાઅત સાથે પઢવાની કે ઝોહર અદા કરવાની? મતલબ કે દરરોજ અપડાઉન કરૂં છું તો શું રોજની ફર્ઝ નમાઝ અને જુમ્અહની નમાઝનો શુ હુકમ છે?

જવાબ :– જો જુમ્અહના વખત દરમિયાન ઉપરની વિગત મુજબ તમો મુસાફિર હોવ તો તમારા ઉપર જુમ્અહ પઢવી ફર્ઝ તો નથી. પરંતુ જો તમો મુસાફિર હોવા છતાં એવી જગ્યાએ હોય કે જયાં જુમ્અહની નમાઝ પઢાતી હોય તો તમો પણ જુમ્અહની નમાઝ પઢી શકો છો, ઝોહર પઢવી તમારા માટે જરૂરી નથી અને મુસાફિર હોવાની હાલતમાં કોઈ કારણ સર શહેરમાં હોવા છતાં જુમ્અહને છોડી દઈ ઝોહરની નમાજ પઢશો તો પણ જાઈઝ છે. પરંતુ એવી જગ્યાએ જયાં જુમ્અહ થતી હોય ઝોહરની નમાઝ જમાઅત સાથે પઢવી  મકરૂહે તહરીમી છે. માટે ઝોહરની નમાઝ પઢો તો એકલા પઢી લેવી જોઈએ જમાઅતથી ન પઢવી જોઈએ.        (શામી–૧/પ૪૯)

Log in or Register to save this content for later.