Chapter : નમાઝ
(Page : 257-258)
સવાલ :– એકલો રહેનાર માણસ કે જેને પહેલો પ્રશ્ન આબાદીનો રહે છે તેવા માણસે જુમ્અહ માટે શું કરવું ? ઝોહરની નમાઝ અદા કરી લે તો શરઈ દષ્ટિએ કોઈ કસર નથી ? આવી રીતે ક્યાં સુધી તે ઝોહરની નમાઝ અદા કરી શકે છે ?
જવાબ :– નાના ગામના રહેવાસીઓ ઉપર જુમ્અહની નમાઝ જુમ્અહના દિવસે ફર્ઝ થતી નથી, બલ્કે તેઓના માટે ઝોહરની નમાઝ પઢવી જ ફર્ઝ છે, માટે તમો જે ગામમાં રહો છો એ ગામ નાનું હોય (જેમ કે મુ. પો. થી માલુમ પડે છે) તો જ્યાં સુધી તમો ત્યાં રહો તમારા ઉપર જુમ્અહ પઢવી ફર્ઝ નથી. તમો ત્યાં ગમે તેટલી મુદ્દત રહો તમારે ઝોહર જ પઢવી જરૂરી છે. (શામી, ભાગ–૧)
Log in or Register to save this content for later.