Chapter : નમાઝ
(Page : 256)
સવાલ :– જુમ્અહના દિવસે ખુત્બહ પઢતી વખતે ઈમામે જમણા હાથમાં અસો કે ખુત્બહની કિતાબ પકડવી ? જમણા હાથમાં અસો પકડવો જરૂરી છે ?
જવાબ :– ખરેખર તો ખુત્બહ પઢતી વખતે ઈમામ સાહેબે અસા પકડવી વાજિબ, જરૂરી કે સુન્નતે મુઅક્કદહ નથી. હા, સુન્નતે ગેર મુઅક્કદહ છે. માટે કોઈ અગવડના કારણે અસા બિલકુલ પકડવામાં જ ન આવે તો પણ કોઈ ગુનાહ કે વાંધો નથી. અસા પકડવા માટે કોઈ એક હાથનું નક્કી હોવું જરૂરી નથી, બલ્કે કોઈ સ્પષ્ટ હદીસ કે ફિકહની કોઈ અરબી કિતાબથી જમણા હાથ કે ડાબા હાથથી અસા પકડવાનું સુન્નત કે મુસ્તહબ હોવું પણ સાબિત નથી. માટે જો મોઢે ખુત્બહ પઢવામાં આવે અને અસા પકડવામાં આવે તો જમણા કે ડાબા બન્ને હાથોમાંથી ગમે તે હાથમાં વિના કરાહતે અસા પકડવો જાઈઝ છે અને આ સૂરતમાં જમણાં હાથમાં અસા પકડવો બેહતર છે, જરૂરી નથી અને જો કિતાબ હાથમાં લઈ અસા પકડવામાં આવે અને કિતાબ બન્ને હાથોથી પકડવામાં આવે તો જે હાથથી અસા પકડવામાં સરળતા રહે, તેનાથી અસા પકડવામાં આવે અને જો એક હાથમાં કિતાબ અને બીજા હાથમાં અસા એમ અલગ અલગ હાથથી અલગ અલગ વસ્તુ પકડવામાં આવે તો અફઝલ અને બેહતર એ છે કે જમણા હાથથી કિતાબ અને ડાબા હાથથી અસા પકડવો જોઈએ.
(શામી, ભાગ–૧, ઈમ્દાદુલ મુફતીન)
Log in or Register to save this content for later.