Chapter : નમાઝ
(Page : 259)
સવાલ :– હું અહિંયા ફસ્ટ બી. ફાર્મસીમાં અભ્યાસ કરું છું. મારે જુમ્અહના દિવસે ૯–૧પ થી ર–૦૦ વાગ્યા સુધી કોલેજ છે. મારો છેલ્લો પિરિયડ મેથેમેટીકસ (ગણિતશાસ્ત્ર)નો છે જે ઘણો જ જરૂરી છે જો હું એ પિરિયડ જુમ્અહની નમાઝ માટે ન ભરૂં તો મને પરીક્ષામાં વાંધો આવે એમ છે. અને પિરિયડ ભરૂં તો જુમ્અહ જાય છે, તો શું આ હાલતમાં જુમ્અહની નમાઝના બદલે ઝોહરની નમાઝ પઢી શકું?
જવાબ :– જો આપ કોલેજના અભ્યાસના સ્થળે પહોંચીને મુકીમ ન બની ગયા હોય એટલે કે વતનથી ત્યાં પહોંચીને સતત ૧પ દિવસ અથવા તેથી વધુ મુદ્દત ત્યાં રહેવાની નિય્યત ન કરી હોય તો તમો જુમ્અહ છોડીને ઝોહર પઢી શકો છો. કારણ કે મુસાફિર ઉપર જુમ્અહની નમાઝ પઢવી ફર્ઝ નથી. માટે ઝોહરની નમાઝ પઢી લો તો પણ જાઈઝ છે. અને જો તમો અભ્યાસના સ્થળે મુકીમ બની ગયા હોય તો તમારા ઉપર જુમ્અહ ફર્ઝ છે કોઈ પિરિયડ છુટવાના કારણે તમારા માટે જુમ્અહ છોડવી જાઈઝ નથી. છૂટેલા પિરિયડનો અભ્યાસ કરી લેવાનો કોઈ ઉપાય કરી લેવો જોઈએ. પરંતુ જુમ્અહની નમાઝ ન છોડવી જોઈએ. (શામી – ૧ /પ૪૭)
Log in or Register to save this content for later.