Chapter : નમાઝ
(Page : 252)
સવાલ :– અમારા ઈમામ સા. જુમ્અહના દિવસે ખુત્બહ અગાઉ દસ મિનિટ જે ખુત્બહ પઢવાનો હોય છે તેનો ઉર્દૂમાં તરજુમો મિમ્બર પાસે ઉભા રહી પઢે છે. તરજુમો પૂરો કર્યા પછી મિમ્બર ઉપર બેસે છે. અઝાન પછી ઈમામ સા. ઉભા થઈ અરબીમાં ખુત્બહ પઢે છે તો શું અરબી ખુત્બહ પહેલાં ઉર્દૂ તરજુમો પઢવો એ સુન્નત તરીકા પ્રમાણે છે ? ઈમામ સા. ફરમાવે છે કે મને મસ્જિદના ટ્રસ્ટીઓ ઉર્દૂ તરજુમો પઢવાનું કહે છે, તો નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નત છોડી ટ્રસ્ટીઓનું ઈમામ સાહેબે માનવું બરાબર છે ?
જવાબ :– આ પ્રમાણે ખુત્બહનો ઉર્દૂ તરજુમો પઢવો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી કે સહાબએ કિરામ (રદિ.)થી સાબિત નથી, હાલાંકે તે વખતે પણ ગેર અરબી ઝબાન બોલનારા અને અરબી ન સમજનારા લોકો મવજૂદ હતા. (જ. ફિકહ–૧/૩પ૮)
હાં, વઅઝ અને તકરીરરૂપે નમાઝીઓને ખુત્બહની અઝાન પહેલાં મિમ્બરથી દૂર ઉભા રહી તરજુમો સંભળાવવામાં આવે તો મજકૂર હેતુથી તરજુમો પઢવામાં એ શર્તે વાંધો નથી કે
(૧) નમાઝીઓ વઅઝ નસીહત સાંભળવા ચાહતા હોય,
(ર) તરજુમો પઢવાને લોકો ઝરૂરી ન સમજતા હોય,
(૩)લાઉડ સ્પીકર વગર પઢવામાં આવે તાકે તરજુમો સંભળાવવાના સમયે સુન્નતો પઢનારા ભાઈઓની નમાઝમાં ખલલ ન થાય. (શામી–૧/૪૪૪, ઈમ્દાદુલ ફતાવા : ૧/૬૪૯, ખુત્બએ જુમ્અહ જ. ફિકહ–૧/૩૬૬)
Log in or Register to save this content for later.