Chapter : નમાઝ
(Page : 249-250)
સવાલ :– અહીંની મસ્જિદમાં અમુક નમાઝી ભાઈઓ જુમ્અહની નમાઝ બાદ ઊભા રહી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના રવ્ઝએ મુબારક તરફ મોઢું કરીને ઊંચે અવાજે સલામ પઢવા માંગે છે. તો આપ એ બાબત ખુલાસો આપશો.
જવાબ :– જુમ્અહની નમાઝ બાદ કે અન્ય કોઈ નમાઝ બાદ ઉભા થઈને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના રવ્ઝએ મુબારકની દિશા તરફ મોઢું કરીને કે મોઢું કર્યા સિવાય સમૂહમાં ઉંચે અવાજે દુરૂદ અને સલામ પઢવી ન હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી સાબિત છે, ન સહાબએ કિરામ અને તાબઈન (રદિ.)થી અને ન મશહૂર ચાર મુજતહિદ ઈમામો અને બુઝુર્ગાને દીન (રહ.)થી એનો કોઈ સુબૂત છે. અગર આ પ્રમાણે દુરૂદ–સલામ પઢવું અલ્લાહ તઆલા અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની નજરમાં પસંદનીય અને ઈચ્છનીય હોત તો સહાબએ કિરામ અને તાબિઈન (રદિ.) અને અઈમ્મએ દીન (રહ.) પૂરી પાબંદીના સાથે તે અમલ કરત, હાલાંકે તેઓના પૂરા ઈતિહાસમાં કોઈ એક ઘટના પણ આ પ્રમાણે દુરૂદ–સલામ પઢવાની મળતી નથી. આથી માલૂમ પડયું કે આ પ્રમાણે દુરૂદ–સલામ પઢવાને તે બુઝુર્ગો બિદઅત અને નાજાઈઝ સમજતા હતા.
હઝરત હુઝય્ફહ (રદિ.)એ ફરમાવ્યું છે કે જે તરીકાથી ઈબાદત સહાબએ કિરામે નથી કરી, તમો પણ તેને ઈબાદત ન સમજો, બલકે પોતાના બુઝુર્ગ સહાબાના તરીકાને ઈખ્તિયાર કરો. (કિતાબુલ્ ઈઅ્તિસામ, ભાગ–૧/૩૧૧)
હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ (રદિ.)એ ફરમાવ્યું છે કે તમે લોકો અમારા તરીકાઓની પેરવી કરો અને નવી નવી ઈબાદતો પોતાના તરફથી ન ઘડી કાઢો. હાસિલ એ કે સવાલમાં લખવા મુજબ જુમ્અહની નમાઝ બાદ ઊભા થઈને સમૂહમાં ઊંચે અવાજે દુરૂદ–સલામ પઢવું બિદઅત અને નાજાઈઝ છે. (જ. ફિકહ, ભાગ–૧/ર૧૩)
Log in or Register to save this content for later.