[૧૮૦] મહિના અને સમયને અનુરૂપ ખુત્બહ અને તકરીર

Chapter : નમાઝ

(Page : 246-247)

સવાલ :– શું જે ઈસ્લામી મહિનો ચાલતો હોય તે જ મહિનાનો ખુત્બહ પઢવો અને એ જ મહિનાની તકરીર કરવી કોઈ હદીષથી યા કિતાબથી સાબિત છે ?

જવાબ :– જે ઈસ્લામી મહિનો ચાલતો હોય તે જ મહિનાને લગતો ખુત્બહ પઢવો અને તકરીર કરવી જરૂરી નથી, પરંતુ સમયની જરૂરતને અનુલક્ષીને મહિનાને લગતો ખુત્બહ પઢવામાં આવે અથવા તકરીર કરવામાં આવે તો આ બેહતર છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી સલમાન ફારસી (રદિ.) નકલ કરે છે કે હઝરત રસૂલુલ્લાહે શઅ્‌બાનના છેલ્લા દિવસે ખુત્બહ આપ્યો અને મજકૂર હદીસમાં તેઓ ખુત્બહનો મઝમૂન નકલ કરે છે, જેમાં રમઝાન શરીફના ફઝાઈલ બયાન કરવામાં આવ્યા છે. (મિશ્કાત શરીફ : ૧૭૩) પરંતુ મહિનાને લગતો ખુત્બહ પઢવાને અને તકરીર કરવાને જરૂરી સમજવું દુરુસ્ત નથી. બીજો કોઈ ખુત્બહ  પઢવામાં આવશે તો પણ ખુત્બહ દુરુસ્ત થઈ જશે.

(આલમગીરી, ભાગ–૧/૧૪૬, શામી, ભાગ–૧/પ૬૧)

Log in or Register to save this content for later.