Chapter : નમાઝ
(Page : 248)
સવાલ :– તારાપુરમાં જુમ્અહના દિવસે નીચે મુજબ ગલતી થઈ. કારી સાહેબે જુમ્અહ પઢાવી તો જે ખુત્બહ પહેલો પઢવાનો તે ન પઢયા, અને તેની જગ્યાએ બીજો ખુત્બહ જે પહેલા ખુત્બહ પછી બેસી ઊભા થઈને પઢે છે, તે ખુત્બહ પહેલા પઢયા અને જ્યારે તે પૂરો થયો ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે મારી ભૂલ થઈ, એટલે એકદમ ઉતરી પહેલી સફમાં આવ્યા અને મૌલાનાને પૂછયું કે શું કરું ? તો પહેલો ખુત્બહ પઢી લો, એમ કહયું, એટલે મિમ્બર પર ચઢી પહેલો ખુત્બહ પઢયા અને પછી તુરત નમાઝ ઊભી કરી, પહેલો ખુત્બહ પઢયા નહિ અને બીજો પઢયા, વચમાં સફમાં આવ્યા, નવેસરથી પણ ફરી પહેલો પઢયા, બીજો ન પઢયા, વચ્ચે બેઠા પણ નહી, તો જુમ્અહની નમાઝ થઈ ગઈ કે દોહરાવવી પડશે ?
જવાબ :– પૂછેલી સૂરતમાં જુમ્અહની નમાઝ દુરુસ્ત થઈ ગઈ છે. તેને દોહરાવવાની કોઈ જરૂરત નથી, કારણ કે જુમ્અહની નમાઝના દુરુસ્ત થવા માટે માત્ર એક ખુત્બહનું પઢવું પૂરતું છે. જુમ્અહની નમાઝ દુરુસ્ત થવા માટે બે ખુત્બહ પઢવા જરૂરી નથી. અલબત્ત, બે ખુત્બહનું પઢવું સુન્નત છે અને પૂછેલી સૂરતમાં તે સુન્નત અદા થઈ ગઈ છે. બન્ને ખુત્બહના આગળ–પાછળ થઈ જવાથી તે સુન્નત છૂટેલી નહીં ગણાય, બન્ને ખુત્બહનો મઝમૂન અને ભાવાર્થ લગભગ સરખો હોય છે. મામૂલી તફાવત હોય છે, એટલે પહેલા ખુત્બહની જગ્યાએ બીજો અને બીજાની જગ્યાએ પહેલો ભૂલથી પઢી લેવામાં આવે તો વાંધો નથી.(શામી, ભાગ–૧/પ૪૩)
Log in or Register to save this content for later.