[૧૭૯] જુમ્અહ પહેલાં અને પછી કેટલી રકઆત?

Chapter : નમાઝ

(Page : 245-246)

સવાલ :– પાના નં. ૧૧૦, આઈટમ ર૪ તથા રપમાં જુમ્અહ પહેલાંની તથા પછીની આઠ આઠ રકઅતો લખી છે તો તે વિશે ખુલાસો લખશો.

જવાબ :– જુમ્અહની નમાઝ પહેલાં આઠ રકઅતોની ગણતરી બરાબર છે અને તે આઠ રકઅતોની વિગત આગળ પેજ નં. ૧૧૦–૧૧૧ ઉપર આપેલી છે કે બે રકઅત તહિય્યતુલ્‌ વુઝૂ, બે રકઅત તહિય્યતુલ મસ્જિદ અને ચાર રકઅત સુન્નતે મુઅક્‌કદહ છે. જો કે તહિય્યતુલ વુઝૂ અને તહિય્યતુલ મસ્જિદ બન્ને પ્રકારની નફલ નમાઝ વતી ફકત બે રકઅત પઢશે તો પણ બન્ને નફલ નમાઝોનો સવાબ મળી જશે.    (શામી, ભાગ–૧/૪પ૮)

               જુમ્અહ પછીની રકઅતોની ગણતરી વિશે દુર્રે મુખ્તાર અને શામી, ભાગ–૧માં ફકત ચાર રકઅત સુન્નતે મુઅક્‌કદહ બયાન કરવામાં આવી છે. એ સિવાય બીજી કોઈ રકઅત સુન્નતે મુઅક્‌કદહની કે  નફલની બયાન કરવામાં આવી નથી.  અલબત્ત,  શર્હે મુન્યતુલ્‌ મુસલ્લી કબીરી અને બદાઈઅ્‌માં ઈમામ અબૂ યૂસુફ (રહ.)નો જુમ્અહ પછી છ રકઅત સુન્નત હોવાનો કોલ (મંતવ્ય) નકલ કરવામાં આવ્યો છે અને જુમ્અહ પછી પ્રથમ ચાર રકઅત સુન્નતે મુઅક્‌કદહ અને તે પછી બે રકઅત સુન્નત પઢવાને અફઝલ બતાવવામાં આવ્યું છે. શામી, ભાગ–રમાં હઝ. સાહિબૈન (રહ.)નો મસ્લક ચાર રકઆત સુન્નત હોવાનો નકલ કરવામાં આવ્યો છે. ખુલાસો એ કે જુમ્અહ બાદ છ રકઆત પછી બે રકઆત નફલનો કોઈ સ્પષ્ટ સુબૂત કિતાબોમાં નજરે પડયો નથી. શક્ય છે કે ઝોહર પછીની બે રકઆત નફલ વિશેની હદીસથી જુમ્અહ પછી પણ બે રકઆત નફલ સાબિત કરવામાં આવેલી હોય. જો કે એવી કોઈ વિગત કોઈ કિતાબમાં જોવામાં આવી નથી.

(શામી, ભાગ–૧/૪પર, ભાગ–ર/૧૩ર, કબીરી : ૩૮૯, બદાઈઅ્‌, ભાગ–૧/ર૮પ)

Log in or Register to save this content for later.