Chapter : નમાઝ
(Page : 243-244)
સવાલ :– જુમ્અહની ફજરમાં પહેલી રકઅતમાં સૂરએ સજદહ અને બીજી રકઅતમાં સૂરએ દહ્ર પઢવું સુન્નત છે એમ ઘણાં આલિમોથી સાંભળવામાં આવ્યું છે, પરંતુ અમારી મસ્જિદમાં આ વિશે થોડો ઈખ્તિલાફ છે. અમુક મુકતદીઓનું કહેવું એમ છે કે જ્યારે આ પઢવું સુન્નત છે તો આ કેમ કરી છોડી શકાય ? દર જુમ્અહની ફજરમાં સુન્નત અદા થવી જોઈએ અને તે મુકતદીઓ તરફથી ઈમામને ફરજ પાડવામાં આવે છે.
જ્યારે અમુક મુકતદીઓનું મંતવ્ય આ છે કે અમારા ઘડપણ તેમજ ઝઈફીનો ખયાલ કરવામાં આવે, અમે થાકી જઈએ છીએ–ચક્કર આવે છે. અમુક અમુક જુમ્અહના દિવસે સૂરએ સજદહ છોડી દેવામાં આવે. (આ મુકતદીઓ પણ નમાઝ–રોઝાના પાબંદ છે.)
જો કે આ કિરાઅતમાં લાંબો સમય થતો નથી, તો સવાલ આ છે કે ઈમામ સાહેબે કોની વાત ઉપર અમલ કરવો ? દરેક જુમ્અહના દિવસે સૂરએ સજદહ પઢે કે અમુક જુમ્અહમાં છોડીને પઢે ?
જવાબ :– જુમ્અહની ફજરની નમાઝમાં સૂરએ સજદહ અને સૂરએ દહ્ર કોઈ કોઈ વાર પઢવી મુસ્તહબ છે. દરેક જુમ્અહની ફજરમાં તેના પઢવાને જરૂરી સમજવું મકરૂહ છે અને દરેક જુમ્અહની ફજરમાં એ જ સૂરતો પાબંદીથી પઢવી એ પણ મકરૂહ છે, કારણ કે અવામ (આમ લોકો) સમજશે કે આ જ સૂરતો પઢવી જરૂરી છે. તેના સિવાય જુમ્અહની ફજરમાં બીજી કોઈ કિરાઅત જાઈઝ નથી, માટે દરેક જુમ્અહની ફજરમાં તે સૂરતો ન પઢવામાં આવે, બલકે કદી કદી પઢવામાં આવે અને જો કદી કદી છોડી દેવામાં આવે અને વધુ ભાગે ગેર જરૂરી સમજી પઢવામાં આવે તો પણ વાંધો નથી, મુસ્તહબ સમજી પઢી શકાય છે.
Log in or Register to save this content for later.