Chapter : નમાઝ
(Page : 242)
સવાલ :– જુમ્અહના દિવસે ખતીબ ખુત્બહથી પંદર મિનિટ પહેલાં મિમ્બરની નીચે ઊભા રહી તકરીર કરે છે. તકરીર બાદ અઝાન પછી મિમ્બર ઉપર ચઢી ખુત્બહ આપે છે, તો શું મિમ્બર નીચે જે તકરીર થાય છે એ ઈસ્લામમાં છે ? આ સુન્નત છે કે બિદઅત ? આ રીતે તકરીર કરવી જોઈએ કે નહિ ?
જવાબ :– ખુત્બહ પહેલાં મિમ્બરથી નીચે ઊભા રહી તકરીર કરવી જાઈઝ છે, બલકે મુસ્તહબ છે. હઝરાત સહાબએ કિરામ (રદિ.)થી સાબિત છે, બિદઅત નથી. તકરીર ખુત્બહની અઝાનથી પાંચ–સાત મિનિટ પહેલા બંધ કરી દેવી જોઈએ, જેથી લોકો સુન્નતો બાકી હોય તો પઢી શકે અને મજકૂર તકરીરને જરૂરી પણ ન સમજવી જોઈએ અને કોઈ કોઈ વાર મજકૂર તકરીર છોડવી પણ જોઈએ, જેથી લોકો જરૂરી ન સમજવા લાગે અને મજકૂર તકરીર માઈક વગર આહિસ્તા અવાજથી કરવામાં આવે, તાકે તહિય્યતુલ્ મસ્જિદ તથા વુઝૂની સુન્નત નમાઝ પઢનારની નમાઝમાં ખલલ ન પડે.
(ફતાવા રહીમિય્યહ: ૧/ર૬૪, ઈ. ફતાવા: ૧/૬૪૯)
Log in or Register to save this content for later.