Chapter : નમાઝ
(Page : 241)
સવાલ :– જુમ્અહનો ખુત્બો ઘણી જગ્યાએ મિમ્બર નીચે ઊભા રહી ઉર્દૂમાં તરજુમાથી પઢવામાં આવે છે, તો શું આ રીતે તરજુમાથી પઢવાની મનાઈ નથી ?
જવાબ :– જુમ્અહનો ખુત્બો ઉર્દૂ અથવા બીજી કોઈ ભાષામાં અનુવાદ કરી ખુત્બારૂપે પઢવો તો મકરૂહે તહરીમી, ખિલાફે સુન્નત અને બિદઅત છે. અલબત્ત, ઉર્દૂ અનુવાદ અથવા અરબી સિવાય બીજી કોઈ ભાષામાં અનુવાદ કરી તકરીરરૂપે લોકોને વઅઝ (નસીહત) કહેવાના હેતુથી મિમ્બરથી દૂર ઊભા રહીને કોઈ કોઈ વાર સંભળાવવામાં આવે અને લોકો આ અનુવાદને જરૂરી ન સમજતા હોય તો જાઈઝ છે અને તે ખુત્બહ નહિ કહેવાય. તકરીર અને તઅલીમ કહેવાશે. ત્યાર બાદ અરબીમાં ખુત્બો પઢવો જરૂરી છે અને તે મિમ્બર ઉપર પઢવામાં આવશે. (ઈ. ફતાવા : ૧/૬૪૯, ઈ. મુફતીન–૩૮ર, જ. ફિકહ : ૧/૩પર)
Log in or Register to save this content for later.