[ર૯] દૂધ પીવડાવવાથી વુઝૂ નહિં તૂટે

Chapter : તહારત

(Page : 66)

સવાલઃ– શું ફરમાવે છે ઉમ્મતના મુફતિયાને કિરામ કે એક ઔરતે નમાઝ વિગેરે પઢવા માટે વુઝૂ કર્યા બાદ પોતાના બાળકને દૂધ પીવડાવ્યું, તો શું બાળકને દૂધ પીવડાવવાથી વુઝૂ તૂટી જશે ? હમારા મૌલાના સાહેબનું કહેવું છે કે વુઝૂ તૂટી જશે. એવી જ રીતે કોઈ ઔરત ફર્ઝ કે નફલ રોઝો રાખે અને રોઝાની હાલતમાં પોતાના બાળકને દૂર પીવડાવે તો રોઝો તૂટશે કે નહિં ?

જવાબ :– ઔરતનું દૂધ પાક છે. તેને કાઢવાથી કે આપોઆપ નીકળવાથી કે બાળકને પીવડાવવાથી વુઝૂ કે રોઝો નહિં તૂટે. વુઝૂ નાપાક વસ્તુના (શરીરમાંથી) નીકળવાથી તૂટે છે. જો મોલ્વી સાહેબ કહેતા હોય તો તેઓથી કિતાબનો હવાલો પૂછવામાં આવે. (ઈમદાદુલ ફતાવા ૪૧, ભાગ ૧)

Log in or Register to save this content for later.