[ર૮] વુઝૂ તોડનારી ચીઝો કેટલી ?

Chapter : તહારત

(Page : 66)

સવાલ :– વુઝૂ કઈ ચીજોથી તૂટે છે? તેનો જવાબ છે આઠ ચીજોથી, પરંતુ તે સિવાય બીજા કોઈ કારણથી વુઝૂ ફરીવાર કરવું પડે છે ?

જવાબ :– તમોએ જવાબમાં જે આઠ ચીજો લખી છે તે જવાબ કઈ કિતાબમાં છે તે લખવું જોઈતું હતું અથવા આઠ ચીજો વિગતવાર લખવી જોઈતી હતી તાકે બાકી રહી જતી કોઈ ચીઝ હોત તો હા, કે ના, માં જવાબ આપી શકાત. ‘‘નૂરુલ ઈઝાહ નામી મશહૂર કિતાબમાં વુઝૂને તોડનારી બાર વસ્તુઓ બતાવવામાં આવી છે.               (તહતાવી ૮૭)

                ‘‘તાલીમુલ ઈસ્લામ (ઉર્દૂ ભા. ર)માં આઠ વસ્તુઓ બતાવવામાં આવી છે. આ આઠ વસ્તુઓમાં ‘‘નૂરુલ ઈઝાહમાં નકલ કરેલ ૧ર વસ્તુઓમાંથી નં. ર અને પ નું અલગ વર્ણન નથી. તા. ઈસ્લામની ૮ વસ્તુઓમાંથી નં. ૧ અને ૩ માં આ બન્ને વસ્તુઓનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે, જ્યારે નૂરુલ ઈઝાહના નં. ૬–૭ નો નં. પમાં સમાવેશ થયો છે અને ‘‘નૂરુલ ઈઝાહના નં. ૧ર ને ગેરજરૂરી હોવાથી વર્ણન કરવામાં આવ્યું નથી.

Log in or Register to save this content for later.