[૧૬૮] ખુત્બહમાં હઝરત અબૂ બક્ન (રદિ.)ના વાલિદ સાહેબનું નામ ન લેવાનું કારણ

Chapter : નમાઝ

(Page : 231-232)

સવાલ :– જુમ્અહના બીજા ખુત્બહમાં હઝરાત ખુલફાએ રાશિદીન (રદિ.)માંથી હઝરત ઉમર (રદિ.), હઝરત ઉસ્માન (રદિ.) અને હઝરત અલી (રદિ.)ના વાલિદનું નામ વર્ણન કરવામાં આવે છે, તો હઝરત અબૂબક્ન સિદ્દીક (રદિ.)ના વાલિદનું નામ શા માટે વર્ણન કરવામાં નથી આવતું ?

જવાબ :– ખુત્બહમાં હઝરત અબૂબક્ન સિદ્દીક (રદિ.)ના વાલિદ સાહેબનું નામ વર્ણન ન કરવાની કોઈ ખાસ હિકમત અને કારણ નથી, કદાચ તેઓની કુનિય્યત અને લકબ બંનેનું વર્ણન કરવાના કારણે વાલિદ સાહેબનું નામ નહિં વર્ણન થતું હોય, બાકી તેઓના બાપનું નામ પણ ખુત્બહમાં લેવું જાઈઝ છે, પરંતુ જરૂરી નથી અને હઝરાત ખુલફાએ રાશિદીન (રદિ.)નું વર્ણન ખુત્બહમાં મુસ્તહબ છે.    (‘આલમગીરી ૧/૧૭૪)

Log in or Register to save this content for later.