[૧૬૭] પ્રથમ માળે નમાઝ માટે ધાબામાં બારી મૂકવાનો હુકમ

Chapter : નમાઝ

(Page : 230-231)

સવાલ :– આ મદ્રસાનું મકાન નાનું છે અને ભવિષ્યમાં નમાઝીઓની સંખ્યા વધે તો ભીડના કારણે પ્રથમ માળે નમાઝ પઢવી પડે તો ગ્રાઉન્ડ ફલોર ભરાય ગયા પછી પ્રથમ માળ ઉપર નમાઝ પઢવા માટે પેશ ઈમામની જગ્યા સામે ધાબા ઉપર બારી બનાવવી જરૂરી છે કે પછી ઉપરના માળે ફકત માઈક મૂકી અવાજ પહોંચાડવાથી નમાઝ દુરુસ્ત થઈ જાય કે નહિં ?

જવાબ :– ગ્રાઉન્ડ ફલોર ભરાય ગયા પછી ઉપરના માળે નમાઝીઓ એ પ્રમાણે ઊભા રહે કે તેઓની પહેલી સફ નીચે ઊભેલા ઈમામથી આગળ કે સીધમાં ન બને, બલકે તેનાથી પાછળ બને, એ જાઈઝ છે અને ઉપરના નમાઝીઓની નીચે ઊભેલા ઈમામની ઈકિતદામાં નમાઝ દુરૂસ્ત થવા માટે માઈકથી અથવા મુકબ્બિરથી ઈમામની તકબીરનો અવાજ ઉપરના નમાઝીઓ સુધી પહોંચી જાય એ જાઈઝ છે અને ઈમામ પાછળ નમાઝ દુરૂસ્ત થવા માટે ઈમામની સીધમાં ધાબામાં બારી હોવી ઝરૂરી નથી, પરંતુ લાઈટ ન હોવાથી અથવા બીજી કોઈ યાંત્રિક ખરાબીના કારણે માઈક બંધ થઈ જાય તો ઉપરના નમાઝીઓની નમાઝમાં ફસાદ પેદા ન થાય અને ખલલ ન પડે અને ઈમામ સાહેબનો અથવા મુકબ્બિરનો અવાજ ઉપરના નમાઝીઓ સુધી પહોંચી શકે એ હેતુથી ધાબામાં બારી બનાવવી અને પહેલેથી મુકબ્બિર નકકી કરી રાખવા એ બહેતર અને અફઝલ છે.   (‘શામી ૧)

Log in or Register to save this content for later.