Chapter : નમાઝ
(Page : 226-227)
સવાલ :– અહિંયા સઉદી અરબમાં મકકહ મુકર્રમહ અને મદીનહ મુનવ્વરહ સિવાય દરેક જગ્યાએ જુમ્અહની નમાઝનો ખુત્બહ ઝવાલ પહેલાં શરૂ થાય છે અને ઝવાલનો ટાઈમ દા.ત. ૧ર–રપ નો હોય તો ખતીબ ઈમામ સાહેબ ૧ર–૩૦ વાગ્યે ખુત્બહ પૂરો કરે છે અને ખુત્બહ પછી તુરત જ જુમ્અહની જમાઅત શરૂ થઈ જાય છે, તો આવી સૂરતમાં ચાર રકઆત સુન્નતે મુઅક્કદહ જે જુમ્અહની ફર્ઝ નમાઝ પહેલાં છે તે કયારે પઢવી ?
જવાબ :– હનફી ફિકહના મસાઈલ મુજબ જુમ્અહની નમાઝ સહીહ થવાની શર્તો પૈકી એક શર્ત ખુત્બહ પણ છે અને જુમ્અહની નમાઝની જેમ ખુત્બહનું પણ ઝવાલ બાદ હોવું શર્ત છે. જો પૂરો ખુત્બહ ઈમામ ઝવાલ પહેલાં પઢી પૂરો કરી લે અને જુમ્અહની નમાઝ ઝવાલ બાદ પઢાવે તો પણ જુમ્અહની નમાઝ સહીહ નહિ થાય અને ઝવાલ પછી ફરીવાર ખુત્બહ પઢી જુમ્અહની નમાઝ પણ દોહરાવવી પડશે. જો જુમ્અહની નમાઝ ફરીવાર જમાઅત સાથે પઢવામાં ન આવે તો હનફી નમાઝીઓએ ઝોહરની નમાઝ પઢવી પડશે. (‘શામી ૧/પ૪૩)
જો ખુત્બહ (હંબલી ફિકહ મુજબ) ઝવાલ પહેલાં શરૂ થઈ જાય અને ઝવાલ પછી પાંચ મિનિટ કે તેથી ઓછા ટાઈમ સુધી ખુત્બહ પઢવાનું બાકી રહેતું હોય તો પણ જુમ્અહની નમાઝ સહીહ થઈ જશે, કારણ કે ઝવાલ પછી થોડીવાર ખુત્બહ પઢવાથી પણ ખુત્બહ અદા થઈ જાય છે. (‘શામી ૧)
રહી વાત જુમ્અહની ચાર રકઆત સુન્નતે મુઅક્કદહ પઢવાની તો જો ખુત્બહ બાદ અથવા ખુત્બહ પહેલાં અને ઝવાલ પછી મજકૂર સુન્નતો પઢવાનો મોકો ન મળે તો જુમ્અહ પછી મજકૂર ચાર રકઆત સુન્નત પઢી લેવામાં આવે. (‘શામી, ‘બાબુલ કઝા ૧)
Log in or Register to save this content for later.