[૧૬ર ] જુમ્અહની અઝાન પછી દુકાન બંધ કરવાનો હુકમ

Chapter : નમાઝ

(Page : 226)

સવાલ :– જુમ્અહના દિવસે એવા ગામડાઓમાં કે જયાં જુમ્અહની  નમાઝ થતી ન હોય ત્યાં બપોરે એક વાગ્યે દુકાન બંધ કરવી જરૂરી છે કે નહિ ?

જવાબ :– જે ગામડામાં જુમ્અહની નમાઝ ફર્ઝ ન હોય તેવા નાના ગામડામાં જુમ્અહનો વખત શરૂ થવાથી દુકાન બંધ કરવી જરૂરી નથી, જુમ્અહની અઝાન થયેથી દુકાન બંધ કરવાનો હુકમ એવી આબાદી માટે છે જયાં જુમ્અહની નમાઝ પઢવામાં આવતી હોય.      (‘શામી ૪/૧૩ર)

Log in or Register to save this content for later.