Chapter : તહારત
(Page : 64)
સવાલઃ– હવે મને હુકૂમત તરફથી મશીન ઘેર મૂકી આપ્યું છે, જે કામગીરી હોસ્પિટલ જઈ કરવી પડતી હતી તે ઘરમાં જ થઈ જયા કરશે અને આગળ રમઝાન શરીફ પણ આવી રહી છે.
પૂછવાની વાત એ છે કે જ્યારે હું મશીન પર શરૂ થાઉં છું ત્યારે હાથ પર બે સોયો નાંખવામાં આવે છે. એકમાંથી શરીરનું બધું ખૂન મશીનમાં જઈ પાછું ફરી બીજી સોયમાં થઈ બધું ખૂન શરીરમાં જાય છે અને આમ છ કલાક સુધી થયા કરે છે, મતલબ કે શરીરનું બધું જ ખૂન નળીઓ મારફત અંદર–બહાર ફર્યા કરે છે અને થોડું ખૂન જીલ્દ (ચામડી) અને નળીઓની બહાર પણ વહી જાય છે, જેના પર વુઝૂ તૂટી જવાનો હુકમ છે. પૂછવાનું એ કે આવી મજબૂરીની હાલતમાં વુઝૂ તૂટી જવાનો હુકમ લાગશે કે નહિં? જ્યારે કે મશીન પર શરૂ થતાં પહેલાં હું વુઝૂ કરી શરૂ થાઉં.
પૂછવાનું કારણ એ કે આ સમયે હું મશીન પાસેથી એક કદમ પણ હટી શકું નહિં અને મારા માટે કુર્આન શરીફ, મતનવાળી તફસીર તેમજ વગર મતનની તફસીરનો અભ્યાસ કરવાનો સારો ચાન્સ છે, તો આ રીતે મજબૂરીની હાલતમાં ખૂન નીકળવાથી વુઝૂ બાકી રહેશે કે નહિં ?
જવાબ :– મજકૂર સૂરતમાં તમારા ખૂનનું પરિભ્રમણ અને શારીરિક નિકાલ તથા પ્રવેશ એ કૃત્રિમ છે, ખૂન આપમેળે શરીરથી બહાર નથી નીકળતું, બલ્કે મશીન દ્વારા કાઢવામાં આવે છે માટે સાહિબે હિદાયહ, ઈનાયહ અને અલ–બહરૂર્રાઈકના લખવા મુજબ આવી મજબૂરીની હાલતમાં એ વાતની ગુંજાઈશ છે કે ખૂન બહાર નીકળવા છતાં વુઝૂ ન તૂટવાનો હુકમ લાગુ પડે અને તમારુ વુઝૂ બાકી રહે અને એ વાતની પણ ગુંજાઈશ છે કે બેવુઝૂની હાલતમાં મતનવાળી અથવા વગર મતનની તફસીરનો અભ્યાસ કરવામાં આવે અને અરબી મતનને હાથ લગાડવાથી બચવાનો બનતો પ્રયાસ કરવામાં આવે. (શામી ભા. ૧/૯ર, ૧૧૯)
Log in or Register to save this content for later.