[ર૩] મઝી તથા પેશાબ બહાર નીકળવાથી વુઝૂ તૂટશે

Chapter : તહારત

(Page : 62)

સવાલ :– અગર કોઈ માણસને નમાઝમાં મઝી ગુપ્તાંગથી બહાર ન નીકળે, પણ અંદર અંદર સરકવાની હરકત માલૂમ પડે અને નમાઝ પછી જ્યારે ગુપ્તાંગને દબાવે ત્યારે સુરાખથી બહાર નીકળે તો આ સૂરતમાં વુઝૂ અને નમાઝ તૂટી જશે કે નહિ ? અને આ જ પ્રમાણે પેશાબના કતરાનું પણ થાય છે કે અંદર હરકત માલૂમ પડે છે, બહાર નથી નીકળતું અને નમાઝ બાદ જ્યારે દબાવીએ ત્યારે સોઈના નાકા જેટલું ટીપું બહાર આવે છે તો તેનો શું હુકમ છે ?

જવાબ :– જ્યાં સુધી મઝી અથવા પેશાબનું ટીપું ગુપ્તાંગના સુરાખથી બહાર ન નીકળે ત્યાં સુધી વુઝૂ તૂટેલું નહિં ગણાય અને નમાઝ પૂરી કરતાં સુધી બહાર ન નીકળવાથી નમાઝ પણ નહિં તૂટે અને સહીહ રીતે અદા થયેલી ગણાશે. મઝી અથવા પેશાબ જ્યારે ગુપ્તાંગના સુરાખથી બહાર નીકળશે અથવા દબાવીને કાઢવામાં આવશે ત્યારે વુઝૂ તૂટી જશે.

(શામી ભાગ ૧/૧૦૦–કબીરી ૧ર૭)

Log in or Register to save this content for later.