[૧૪૬] મુસાફિર પૂરી નમાઝ પઢી લે

Chapter : નમાઝ

(Page : 195-196)

સવાલ :– હું સુરતમાં નોકરી કરું છું અને દર શનિ–રવિ મારા ઘેર આછોદ જાઉં છું અને સોમવારે ફરી સુરત ચાલ્યો જાઉં છું. તો આ સંજોગોમાં હું શરઈ મુસાફિર કહેવાઉં કે કેમ ? (સુરતથી આછોદ વચ્ચેનું અંતર લગભગ ૧ર૦ કિ.મી. છે.) જો હું મુસાફિર કહેવાઉં તો મુસાફરીમાં લાગુ પડતી કસર નમાઝોની જમાઅત સાથે કેવી નિય્યત કરવી ? અને એકલો નમાઝ પઢું તો કેવી નિય્યત કરવી ? જો હું શરઈ મુસાફિર હોઉં તો અત્યાર સુધી જે નમાઝો કસર લાગુ પડતી હતી તે નમાઝો મેં મારી અજ્ઞાનતાથી પૂરી પૂરી પઢી હોય તો તે નમાઝો કેવી રીતે સહીહ કરવી ?  (અય્યૂબ વલી મુન્શી–મુ. પો. આછોદ, જિ. ભરૂચ)

જવાબ :– તમો આછોદથી સુરત જવા માટે આછોદથી બહાર નીકળીને મુસાફિર બની જશો અને આછોદ પાછા ફરતાં સુધી મુસાફિર જ ગણાશો અને આછોદ પહોંચીને તમારી મુસાફરી ખતમ થઈ જશે, જેથી મુકીમ ગણાશો, જ્યારે તમો મુસાફિર હોવાની હાલતમાં મુકીમ ઈમામની પાછળ એટલે કે પૂરી નમાઝ પઢાવનાર ઈમામની પાછળ નમાઝ પઢો તો તમારે પૂરી ચાર રકઅત ફર્ઝ નમાઝની નિય્યત કરવી પડશે અને જો મુસાફિર ઈમામ પાછળ અથવા એકલા નમાઝ પઢો તો કસર બે રકઅત ફર્ઝની નિય્યત કરવી જોઈએ.

               જે કસર નમાઝોને અજ્ઞાનતા અને ભૂલથી પૂરી પઢી લીધી હોય અને સજદએ સહ્‌વ પણ ન થઈ શકયો હોય તેવી ફર્ઝ નમાઝો ફરી પઢવી જોઈએ.  (શામી, ભાગ–૧, તહતાવી)

Log in or Register to save this content for later.