Chapter : નમાઝ
(Page : 192)
સવાલ :– હમારા ગામના એક ભાઈ વડોદરા રેલવેમાં નોકરી કરે છે અને રોજ આવ–જા કરે છે. વડોદરા ભરૂચથી આમ તો ૪૪ માઈલ અને લગભગ ૭૧ કિલોમીટર છે. એમને એક મૌલાના સાહેબ તરફથી જાણવા મળ્યું છે કે વડોદરાના સફરમાં કસર નમાઝ પઢી શકાય છે. મજકૂર માણસ જેઓ દીનની સામાન્ય સમજબૂઝ ધરાવે છે અને ૪૮ માઈલે કસર થાય છે એવું જાણે છે. છતાં મૌલાના સાહેબના મક્કમતાપૂર્વક જણાવ્યા મુજબ અને ગમે ત્યાં પૂછાવી જુઓ એવું કહયા પછી એમણે મને કહયું કે કંથારીઆ આ મસ્અલા વિશે પૂછી લાવશો. (મૌલાના સાહેબ પણ દારુલ ઉલૂમ વડોદરામાં પઢાવે છે. ત્યારથી પોતાના વતન આવ–જા કરે છે.)
(૧) પગુથણથી રવાના થઈ ચાવજ સ્ટેશનથી બેસે છે, જે એક માઈલના અંતરે છે.
(ર) ચાવજ ભરૂચથી પહેલું સ્ટેશન છે. પગુથણથી બસમાં ભરૂચ આવીને બેસે તો પગુથણ–ભરૂચ વચ્ચેનું અંતર ૪ માઈલ (લગભગ ૬ કિલોમીટર) છે.
જવાબ :– પગુથણથી રેલવે કે એસ. ટી. બસ, જે માર્ગે વડોદરા જતાં હોય તે માર્ગનું અંતર પોણા ઈઠ્ઠોતેર (૭૭ાાા) કિલોમીટર અથવા તેથી વધુ હોય તો પૂછેલી સૂરતમાં તે ભાઈ મુસાફિર ગણાશે અને સફર દરમિયાન ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝો કસર પઢવી પડશે અને જો તે માર્ગનું અંતર એથી ઓછું હોય તો મુસાફિર નહિં બને. નમાઝો પૂરી પઢવી પડશે. (જ. ફિકહ, ભાગ–૧)
Log in or Register to save this content for later.