Chapter : નમાઝ
(Page : 191)
સવાલ :– જિદ્દહથી મક્કા શરીફ જનાર જિદ્દહમાં રહેનારે મક્કા શરીફ પહોંચી નમાઝ કસર પઢવી અથવા પૂરી અદા કરવી તથા હજના દિવસોમાં મીકાતમાં પહોંચીને પણ કસર પઢવી અથવા પૂરી જ રકઆતો અદા કરવી ?
જવાબ :– આજકાલ જિદ્દહથી મક્કા મુકર્રમહ સુધીનું અંતર ૪૭ માઈલ એટલે કે લગભગ ૭પ કિલોમીટર બતાવવામાં આવે છે અને આટલા અંતરની મુસાફરી કરવાથી નમાઝ કસર કરવાનો હુકમ લાગુ પડતો નથી, પરંતુ જો જિદ્દહથી રવાના થતી વખતે મક્કા સિવાય મક્કાથી અલગ બીજી એવી જગ્યાઓએ પણ જવાની નિય્યત હોય કે જિદ્દહથી ત્યાં સુધીની મુસાફરી કુલ ૭૮ કિલોમીટરની થઈ જતી હોય તો નમાઝ કસર પઢવાનો હુકમ લાગુ પડશે. સાથે એ વાતનો ખયાલ રાખવો પણ ઝરૂરી છે કે ૭૮ કિલોમીટરની મુસાફરી બાદ કોઈ જગ્યાએ ૧પ દિવસ લગાતાર રહેવાની નિય્યત કરી લેવામાં આવશે તો તે સમય દરમિયાન કસરનો હુકમ નહિં રહે, બલકે પૂરી નમાઝ પઢવી પડશે. (શામી, ભાગ–૧)
Log in or Register to save this content for later.