[૧૪ર] મુસાફિર પાછળ મુકીમ બાકી નમાઝમાં કિરાઅત નહિં પઢે

Chapter : નમાઝ

(Page : 193)

સવાલ :– ઝોહરની ચાર રકઆત અમે મુસાફિર ઈમામ પાછળ અદા કરી. ઈમામ સા. કસર અદા કરી અમને બાકીની બે રકઆત અદા કરવાનું જણાવ્યું. અમે બાકીની બે રકઆત અદા કરી તો સદર રકઆત (પાછળની બે રકઆત)માં અમારે કિરાઅત (સૂરએ ફાતિહા) પઢવી જોઈએ કે વગર કિરાઅતે બે રકઆત પૂરી કરવી જોઈએ ?

જવાબ :– મુસાફિર ઈમામ પાછળ નમાઝ પઢનારા મુકીમ (ગેર મુસાફિર) મુકતદીઓએ પાછલી બે રકઆતો કિરાઅત વગર પૂરી કરવી જોઈએ. તેમણે પાછલી બે રકઅતોમાં અલ્હમ્દુ કે બીજી કોઈ સૂરત ન પઢવી જોઈએ.               (શામી, ભાગ–૧/પ૩૦)

Log in or Register to save this content for later.