Chapter : નમાઝ
(Page : 190-191)
સવાલ :– કસર નમાઝ પોતાના ઘરેથી કેટલા માઈલ દૂર જવાથી લાગુ પડે છે અને ફજર, ઝોહર, અસર, મગરિબ, ઈશાની કસર કેટલી પઢવી તથા સુન્નત, નફલ, વિત્ર, જુમ્આ વગેરેની કેટલી રકઆતો પઢવી ? પોતાના ઘરેથી નીકળી જ્યાં જતા હોય ત્યાં કેટલા દિવસ રહેવાથી કસર પઢવી પડે અને કેટલા દિવસે મુસાફિર મટી જાય છે ? વળી, મુસાફરી એટલી લાંબી હોય છે કે ઘરેથી ફજરની નમાઝ પછી દસ વાગ્યે બસમાં બેસીએ તો બસ આખો દિવસ સતત ચાલુ રહે છે. કોઈ જગ્યાએ રોકાતી નથી, જેથી ઝોહર, અસર, મગરિબ આ ત્રણ નમાઝો કઝા થાય છે તો તેને પૂરી પઢવી કે કસર ?
જવાબ :– ૪૮ માઈલ અથવા તેથી વધુ અંતરની મુસાફરીની નિય્યત કરી પોતાની આબાદીથી નીકળી જાય તો કસરનો હુકમ લાગુ પડે છે અને કસર ચાર રકઅતવાળી ફર્ઝ નમાઝોની કરવાની હોય છે. જેમ કે ઝોહર, અસર અને ઈશા અને ફજર, મગરિબ, વિત્ર, જુમ્આ તેમજ સુન્નત અને નફલ નમાઝની રકઅતોમાં કોઈ કસર નથી.
ઉપરોકત મુસાફરી પ્રમાણે મુસાફિર થઈ ગયા બાદ જો કોઈ ઠેકાણે ૧પ દિવસથી થોડી મુદ્દત રહેવાની નિય્યતથી રોકાશે તો મુસાફિર જ રહેશે અને કસર નમાઝ પઢવાની રહેશે. હા, સ્થાનિક અને મુકીમ ઈમામની પાછળ નમાઝ પઢશે તો પૂરી પઢવી પડશે અને જો ૧પ દિવસ અથવા તેથી વધુ કોઈ ઠેકાણે રહેવાની નિય્યત કરશે તો મુકીમ બની જશે અને પૂરી નમાઝ પઢવી પડશે. જે નમાઝો મુસાફિર હોવાની હાલતમાં સફર દરમિયાન કઝા થઈ જાય તે નમાઝો સફરમાં અને વતનમાં પહોંચ્યા પછી અથવા બીજી કોઈ જગ્યાએ મુકીમ થયા બાદ પણ કસર જ પઢવી પડશે. (શામી–૧)
Log in or Register to save this content for later.