Chapter : નમાઝ
(Page : 184-185-186-187-188-189)
સવાલ :– એક માણસ દા.ત. ભરૂચ શહેરમાં થોડા દિવસ માટે ઈમામત કરાવે છે, તેમનું વતને અસલી ભરૂચ શહેરથી આશરે પપ કિ.મી. દૂર છે. આ માણસ વેકેશનમાં પોતાના વતને અસલીમાં ૪–૬ દિવસો માટે ગયેલા અને પછી ત્યાંથી ભરૂચ આવી ૪–પ દિવસો નમાઝ પઢાવી એક–બે દિવસ માટે સૂરત ગયેલા, ત્યાંથી આવ્યા પછી પૂછપરછ કરતાં ખબર પડી કે તેમણે વતને અસલીમાંથી પાછા ફરીને અને સૂરતથી આવ્યા પછી ઈકામતની નિય્યત કરી નથી, કારણ કે તેમના કહેવા મુજબ વતને અસલીથી ભરૂચ પપ કિ.મી. અને ભરૂચથી સુરત ૬ર કિ.મી. દૂર હોવાથી બંને સૂરતોમાં શરઈ મસાફત એટલે કે સવા સિત્તોતેર કિ.મી.નો સફર થયો નથી, માટે ભરૂચ આવી ઈકામતની નિય્યત કરવાનો સવાલ પેદા થતો નથી અને આ હંગામી ઈમામ સાહેબનું એમ પણ કહેવું હતું કે અસલ ઈમામે મસ્જિદના સફરમાંથી પાછા આવતાં સુધી હું તો એવું સમજીને ચાલું છં કે હું ભરૂચમાં જ સ્થાયી છું.
જયારે મજકૂર ઈમામ સાહેબને માલા બુદ્દ મિન્હુ કિતાબની આ ઈબારત યાદ અપાવી કે,
‘વતને ઈકામત બવતને ઈકામત, બસફર, બવતને અસલી બાતિલ મી શવદ
[કે વતને ઈકામત બીજા વતને ઈકામતથી, સફરે શરઈ કરવાથી અને વતને અસલીમાં જવાથી બાતિલ અને રદ થઈ જાય છે.]
તો તેમણે જવાબ આપ્યો કે,
“મારી બંને સફરો પપ કિ.મી. અને ૬ર કિ.મી. ના અંતરની હોવાથી આ ઈબારત મને લાગુ પડતી નથી.
સવાલ એ છે કે આ હંગામી ઈમામ સાહેબ તેમના વતને અસલીથી ભરૂચ પાછા ફરીને પ–૬ દિવસો પછી વેકેશનની રજાઓનો લાભ લઈ સુરતમાં પોતાના સ્નેહીઓને મળવા જવાના હતા અને આ હાલતમાં તેમણે ભરૂચમાં ૧પ દિવસ રહેવાની નિય્યત કરી ન હતી. ત્યારે ભરૂચના રોકાણ દરમ્યાન પ–૬ દિવસોની પઢાવેલી નમાઝો સહીહ થયેલી ગણાશે કે દોહરાવી વાજિબ છે ?
બીજી વાત કે વતને અસલીથી સુરતનું કુલ અંતર પપ+૬ર્ર ૧૧૭ કિ.મી. થયું, એટલે ઈમામ સાહેબ સુરતના સફરથી શરઈ મુસાફિર બની ગયા, તો સુરતથી પાછા ફરીને દસેક દિવસોની પઢાવેલી નમાઝો સહીહ થઈ છે કે નહિ ? અથવા આ દસ દિવસની નમાઝો લોટાવવી વાજિબ છે ? કારણકે ભરૂચથી સુરત ૬ર કિ.મી. દૂર હોવાથી મજકૂર ઈમામ સાહેબ (શરઈ અંતરથી ઓછું સમજીને) સુરતથી આવ્યા પછી ૧પ દિવસ ઈકામતની નિય્યત ઝરૂરી સમજતા નથી.
જવાબ :– મજકૂર ઈમામ સાહેબે જો વતને અસલીથી જ એવી નિય્યત કરી હોય કે ભરૂચમાં પ–૬ દિવસો રોકાયને એટલે કે ૧પ દિવસોથી ઓછું રહીને સુરત જઈશ તો તેઓ પોતાના વતને અસલીથી સફર કરતાં જ મુસાફિર ગણાશે અને સુરત જતાં પહેલાં ભરૂચના રોકાણ દરમ્યાન પણ તેઓ મુસાફિર જ રહેશે અને જયાં સુધી સુરતથી પાછા ફરી ભરૂચમાં આવીને ૧પ દિવસો લગાતાર રહેવાની નિય્યત નહિં કરે ત્યાં સુધી મુકીમ નહિં બને, માટે આ રોકાણ દરમ્યાન તેમણે પઢાવેલી ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝો બધાએ લોટાવવી પડશે અને જો ઈમામ સાહેબની નિય્યત વતને અસલીથી પપ કિ.મી. દૂર ફકત ભરૂચ આવવાની હતી અને ભરૂચ આવ્યા પછી સુરત જવાનો ઈરાદો કર્યો તો આ સૂરતમાં તેઓ સુરત જતાં પહેલાં ભરૂચમાં મુસાફિર નહિં ગણાય અને આ રોકાણ દરમ્યાન તેમણે પઢાવેલી ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝો લોટાવવી નહિં પડે, કારણ કે જયાં સુધી માણસ એક સાથે ૪૮ માઈલના સફરની નિય્યતથી સફર ન કરે ત્યાં સુધી તે મુસાફિર બનતો નથી અને તેથી ઓછા અંતરના સફરની નિય્યત કરી પૂરા દેશની મુસાફરી કરી લે તો પણ તે મુસાફિર ગણાતો નથી.
અલબત્ત જો મજકૂર ઈમામ સાહેબ સુરતમાં થોડા દિવસો રહ્યા પછી એ નિય્યતથી ભરૂચ આવ્યા કે પંદર દિવસથી ઓછી મુદ્દત ભરૂચ રહી ત્યાંથી પોતાના વતનમાં જઈશ, તો આ સૂરતમાં તેઓ સુરતથી પાછા ફરતાં સુરતથી ભરૂચ સુધીના સફરમાં અને ભરૂચમાં અને ભરૂચથી પોતાના વતન પહોંચતાં સુધી શરઈ મુસાફિર ગણાશે અને સુરતથી પાછા ફરીને ભરૂચમાં તેમણે પઢાવેલી ચાર રકઆતવાળી નમાઝો બધાંએ લોટાવવી પડશે.
હા, જો તેઓ સુરતમાં થોડા દિવસો રહ્યા પછી એ નિય્યતે ભરૂચ આવ્યા હોય કે લગાતાર પંદર દિવસો ભરૂચમાં રહીશ અને પછી પોતાના વતને અસલીમાં જઈશ તો આ સૂરતમાં તેઓ સુરતથી પાછા ફરતાં સફરમાં અને ભરૂચમાં તથા ભરૂચથી વતન પહોંચતાં સુધી શરઈ મુસાફિર નહિં બને અને સુરતથી પાછા ફરીને ભરૂચમાં પઢાવેલી નમાઝો સહીહ અને કામિલ ગણાશે, તેને લોટાવવી નહિં પડે.
(‘શામી ૧/પર૬–પ૩૩)
મુસાફિરનો એક અગત્યનો મસ્અલહ
સવાલ :– હિંદો પાકના મુફતિયાને કિરામ સફર બાબત એવો મસ્અલહ બતાવતા હતા કે કોઈ માણસ કોઈ જગ્યાએ નોકરી અથવા વેપાર ધંધા અર્થે લગાતાર પંદર દિવસો રહેવાની નિય્યતથી રહે તો તે સ્થળ તેનું વતને ઇકામત ગણાશે અને ત્યાંથી વતને અસલીમાં જવાથી અથવા ૪૮ માઈલનો સફર કરવાથી અથવા બીજી કોઈ જગ્યાને વતને ઈકામત બનાવવાથી તે વતને ઈકામત ખતમ અને બાતિલ થઈ જશે, માટે કોઈ ઈમામ સાહેબ અથવા નોકરિયાત કે વેપારી જો વતને ઈકામતથી પોતાના અસલી વતનમાં ગયા, દા.ત. આમોદના રહેવાસી સુરતમાં ઈમામ તરીકે સેવા બજાવતા હોય અને તેઓ દસ દિવસ માટે આમોદ આવ્યા અથવા સુરતથી મુંબઈ ગયા તો હવે સુરત તેમનું વતને ઈકામત બાકી નહિં રહે અને જયાં સુધી સુરત જઈ નવેસરથી લગાતાર પંદર દિવસ રહેવાની નિય્યત નહિં કરે ત્યાં સુધી સુરતમાં મુસાફિર જ ગણાશે અને તેઓએ ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝની ચાર રકઆત પઢાવી ઈમામત કરવી જાઈઝ નહિં ગણાય, ચાહે તેઓ પોતાની ફેમિલી અથવા પોતાના માલ–સામાન ત્યાં રહેવા દઈને ફરી ત્યાં પાછા ફરી ઈમામતની જવાબદારીની નિય્યતથી મુંબઈ ગયા હોય કે ત્યાંથી ફેમિલી અને સામાન લઈને ત્યાં પાછા ન આવવાની નિય્યતથી ગયા હોય, બન્ને સૂરતોમાં તેમનું વતને ઈકામત (સુરત) ખતમ થઈ જશે.
છેલ્લા અમુક વર્ષોથી મોટા ભાગના મહાન મુફતિયાને કિરામની તહકીક આ પ્રમાણે છે કે જો ઈમામ સાહેબ વગેરે કોઈ સ્થળને વતને ઈકામત બનાવી ત્યાં રહે અને ત્યાંથી પોતાના ઘર વાળાઓને પોતાના રહેઠાણના ઘરમાં રહેવા દઈ અથવા પોતાનો માલ–સામાન પોતાના રહેઠાણના ઘરમાં રહેવા દઈ પાંચ – દસ દિવસ માટે પોતાના અસલી વતનમાં જાય અથવા ત્યાંથી ૪૮ માઈલનો સફર કરે અને પાંચ–દસ દિવસ પછી પોતાના વતને ઈકામતમાં પરત ફરવાના હોય, તો તેમનું વતને ઈકામત ખતમ અને બાતિલ નહિં ગણાય. દા.ત. સુરતમાં ઈમામત કરાવનાર આમોદના રહેવાસી પાંચ દિવસ માટે આમોદ આવે અને તેમની નિય્યત પાછા ફરીને ઈમામત પર બાકી રહેવાની હોય અથવા કોઈ કામ માટે સુરતથી મુંબઈનો સફર કરે અને પોતાની ફેમિલીને અથવા પોતાનો માલ–સામાન સુરતમાં પોતાના રહેઠાણના મકાનમાં જ રહેવા દે તો આ સૂરતોમાં વતને અસલી આમોદ જવાથી કે સુરતથી મુંબઈનો સફર કરવાથી તેમનુ વતને ઈકામત (સુરત) ખતમ નહિં થાય, બલકે આ સૂરતોમાં સુરત તેમનું વતને ઈકામત બાકી રહેશે અને આ સૂરતમાં તેમણે સુરત પાછા ફરીને ત્યાં મુકીમ બનવા માટે લગાતાર ૧પ દિવસ ત્યાં રહેવાની નિય્યત કરવાની અને રહેવાની જરૂરત નહિં રહે, બલકે સુરત પહોંચીને તે આપોઆપ મુકીમ બની જશે અને ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝની ચાર રકઆત તેઓ પઢાવી શકશે, જેવી રીતે કે માણસ વતને ઈકામતમાંથી કે લાંબા સફરથી પોતાના વતને અસલીમાં પાછો ફરે છે તો ઈકામતની નિય્યત વગર આપોઆપ મુકીમ બની જાય છે. (અહ. ફતાવા –પ)
માટે હવે સફરના આ મસ્અલહ મુજબ જ અમલ કરવામાં આવશે અને ઝુબ્દતુલ ફતાવાના આ ભાગમાં પહેલા મંતવ્ય અને મસ્અલહ મુજબ લખાયેલા ફતાવા મુજબ અમલ કરવામાં નહિં આવે એ વાતની ખાસ નોંધ લેવામાં આવે.
Log in or Register to save this content for later.