Chapter : નમાઝ
(Page : 180-181)
સવાલ :– અહમદાબાદથી હિંમતનગર સુધીનું અંતર સરકારી ગણતરી પ્રમાણે ૮૦ કિ.મી. છે. હું અહમદાબાદના કાલુપૂર વિસ્તારમાં રહું છું. જો હું કાલુપૂરથી હિંમતનગર જવા નીકળું તો અહમદાબાદ શહેરની હદ ૧૦ કિ.મી.ના અંતરે પૂરી થાય છે અને કાલુપૂરથી હિંમતનગર સુધીનું અંતર ૮૦ કિ.મી. છે અને અહમદાબાદ શહેરની આબાદીની હદ નરોડા વિસ્તાર પર પૂરી થાય છે, તે કાલુપૂરથી ૧૦ કિ.મી.ના અંતરે છે, એટલે અહમદાબાદની આબાદીની છેલ્લી હદથી હિંમતનગર સુધી ૭૦ કિ.મી. થાય છે. મને એક મૌલવી સાહેબે મસ્અલો બતાવ્યો છે કે તમારે ૧૦ કિ.મી. કાપીને સફરની શરૂઆત ગણવી. મૌલવી સાહેબના બતાવ્યા પ્રમાણે તો હું હિંમતનગર ગયા પછી પણ મુસાફિર બનતો નથી, તો સવાલ આ છે કે સફરના કિ.મી.ની ગણતરી કયાંથી કરવી, જયારે હું અહમદાબાદથી હિંમતનગર જવાના ઈરાદાથી નીકળું તો સફરનું અંતર પોતાના સ્થળ અને ઘરેથી ગણવું કે શહેરની આબાદીના બહારથી ગણવું?
જવાબ :– મૌલવી સાહેબે આપને જે મસ્અલો બતાવ્યો, તે બરાબર છે. સફરનું અંતર આબાદી પૂરી થાય ત્યાંથી ગણવામાં આવશે અને પૂછેલી સૂરતમાં આપની મુસાફરીનું અંતર ૭૦ કિ.મી. ગણાશે અને આટલા અંતર પર શરઈ મુસાફિરના હુકમો લાગુ પડતા નથી. માટે તમો હિંમતનગર જતાં રસ્તામાં અને હિંમતનગર પહોંચીને મુસાફિર નહિ બનો.
Log in or Register to save this content for later.