Chapter : નમાઝ
(Page : 174-175-176)
સવાલ :– મારે મારા સસરાના ગામમાં જે અહિંયાથી લગભગ ૪૮ માઈલ દૂર છે, નમાઝ પૂરી પઢવી કે કસર પઢવી ? સાંભળ્યું છે કે હઝરત ઉસ્માન (રદિ.) પોતાની ખિલાફતના સમયમાં જયારે મદીના મુનવ્વરહ તશરીફ લાવતા હતા ત્યારે પૂરી નમાઝ પઢતા હતા અને કહેતા હતા કે આ તો મારા બાપ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું શહેર છે. શું આ બરાબર છે ?
જવાબ :– તમોએ પોતાના વતનથી બહાર જે જગ્યાએ શાદી કરી છે. જો શાદી પછી પોતાની ઓરતને ત્યાં તેના બાપના વતનમાં જ રહેવા દીધી હોય અને પોતે ત્યાં જ રહેવાનો પાકો ઈરાદો કરી લીધો હોય તો આ સૂરતમાં સસરાનું ગામ તમારું વતને અસલી ગણાશે અને ત્યાં તમારે પૂરી નમાઝ પઢવી પડશે અને જો શાદી કર્યા પછી તમો પોતાની ઓરતને પોતાના વતનમાં અથવા સસુરાલ સિવાય બીજો કોઈ ગામમાં લઈ જઈને રહેતા હોય તો આ સૂરતમાં સસરાનું ગામ તમારા માટે વતને અસલી નહિ ગણાય અને જયારે તમો ૪૮ માઈલ (સવા સિત્તોતેર કિ.મી.)ની મુસાફરી કરીને સસરાના ગામમાં જશો અને ત્યાં લગાતાર ૧પ દિવસ રહેવાની તમારી નિય્યત નહિં હોય તો ત્યારે તમો ત્યાં એકલા નમાઝ પઢો અથવા ઈમામ બનીને નમાઝ પઢાવો તો કસર નમાઝ પઢવી પડશે, કારણ કે આ સૂરતમાં તમો ત્યાં મુસાફિર ગણાશો અને માત્ર કોઈ ગામમાં શાદી કરી લેવાથી તે ગામ શાદી કરનાર પુરુષનું વતને અસલી બનતું નથી.(‘ઈમ્દાદુલ ફતાવા ૧/પ૬૩)
હઝરત ઉસ્માન (રદિ.) પોતાની ખિલાફતના આરંભકાળમાં મકકહ મુકર્રમહ પહોંચીને કસર નમાઝ પઢતા હતા. તે પછી તેઓ મકકહ આવતા તો પૂરી નમાઝ પઢતા. જોનાર લોકોને તેઓના પૂરી નમાઝ પઢવા ઉપર આશ્ચર્ય થયું અને તેઓથી પૂરી નમાઝ પઢવાનું કારણ પૂછયું તો હઝરત ઉસ્માન (રદિ.)એ ફરમાવ્યું કે,
‘‘આ વખતે હું જ્યારથી મકકહમાં આવ્યો છું મેં મકકહમાં શાદી કરી લીધી છે અને મેં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને ફરમાવતા સાંભળ્યા છે કે જે માણસ કોઈ ઠેકાણે શાદી કરી લે તો તે મુકીમની જેમ (ત્યાંના રહેવાસીની જેમ) પૂરી નમાઝ પઢે.
આ કિસ્સો ઈમામ અહમદ, અબૂ બક્ન બિન અબી શય્બહ, ઈબ્ને અબ્દુલ બર (રહ.) અને શૈખ તહાવી (રહ.)એ આ પ્રમાણે જ નકલ કર્યો છે. માટે સવાલમાં લખેલી ઘટનાની સાંભળેલી વિગત બરાબર અને દુરુસ્ત નથી. અને હઝરત ઉસ્માન (રદિ.) તો મદીનહ મુનવ્વરહમાં જ રહેતા હતા અને ત્યાં જ તેઓ મુકીમ હતા.
(‘કબીરી પ૩૮, ‘ફ.કદીર ર/૭)
Log in or Register to save this content for later.