[૧૮] માથાના મસહ માટે નવું પાણી લેવું

Chapter : તહારત

(Page : 58)

સવાલ :– વુઝૂ બનાવતી વખતે મસહ કરવા માટે નવા પાણીથી હાથ તર કરવા શર્ત છે કે ભીનો હાથ ફેરવી દેવાથી મસહ થઈ જશે ? અમુક લોકો મોઢા પર હાથ ફેરવ્યા પછી માથા પર હાથ ફેરવે છે, તો મસહ દુરુસ્ત થશે કે નહીં ?

જવાબ :– જો હાથ ધોયા પછી હાથમાં પાણી બાકી હોય તો તે પાણીથી ભીનો હાથ માથા પર ફેરવી મસહ કરવો જાઈઝ છે, નવા પાણીથી હાથ તર કરવો શર્ત નથી, જો મોઢું ધોવા માટે મોઢા ઉપર હાથ ફેરવે અને તે પછી ભીનો હાથ માથા ઉપર ફેરવી મસહ કરે તો મસહ થઈ જશે અને જો બન્નેવ હાથ ધોવા પછી મોઢા ઉપર હાથ ફેરવે અને નવું પાણી લીધા વિના મોઢા ઉપરથી લીધેલી તરીથી માથાનો મસહ કરે તો દુરુસ્ત નહિં ગણાય, ફરીથી નવું પાણી લઈ મસહ કરવો પડશે અને એ વાત પણ યાદ રાખવી જોઈએ કે માથાના મસહ પહેલાં મોઢાં ઉપર હાથ ન ફેરવવો જોઈએ. (શામી ૧/૬૭)

Log in or Register to save this content for later.