Chapter : નમાઝ
(Page : 158)
સવાલઃ–(પ) મજકૂર ઓરત જો પોતાના સફરના નિશ્ચિત સ્થળે પહોંચીને હૈઝથી પાક થાય તો તેણી તે સ્થળે પૂરી નમાઝ પઢશે કે કસર નમાઝ પઢશે?
જવાબઃ–(પ) જો સફરના નિશ્ચિત સ્થળે પહોંચીને તેણીએ તે સ્થળે પંદર દિવસ લગાતાર રહેવાની નિય્યત ન કરી હોય તો તેણી ત્યાં મુસાફિર જ ગણાશે અને તે સ્થળે તેણીએ કસર નમાઝ પઢવાની રહેશે અને જો સફરના નિશ્ચિત સ્થળે પહોંચીને ત્યાં લગાતાર પંદર દિવસ રહેવાની નિય્યત કરી હોય તો તેણી તે સ્થળે મુકીમ ગણાશે અને પૂરી નમાઝ પઢવાની રહેશે. (દૂર્ર – શામી :૧/પ૩પ,પર૮)
Log in or Register to save this content for later.