Chapter : નમાઝ
(Page : 157)
સવાલ :–(૩) એક ઓરતે હૈઝની હાલતમાં ૪૮ માઈલથી વધુ દૂરના સ્થળે જવા માટે સફર શરૂ કર્યો અને નિશ્ચિત સ્થળે પહોંચતાં પહેલાં સફર દરમ્યાન તે પાક થઈ ગઈ તો હવે તે આગળના સફરમાં નમાઝ પૂરી પઢશે કે સફરની કસર નમાઝ પઢશે ?
જવાબ :–(૩) જો નિશ્ચિત સ્થળે પહોંચવા માટે આગળનો સફર ૪૮ માઈલ કે તેથી વધુ અંતરનો છે તો હૈઝ બંધ થયા પછી આગળના સફરમાં તેણી મુસાફિર ગણાશે, માટે આગળના સફરમાં હવે તે મુસાફિર હોવાથી કસર નમાઝ પઢશે અને જો હૈઝ બંધ થયા પછી નિશ્ચિત સ્થળે પહોંચવા માટેનો સફર ૪૮ માઈલના અંતરનો ન હોય, બલકે તેથી ઓછા અંતરનો હોય તો મજકૂર ઓરત પાક થયા પછી આગળના સફરમાં મુસાફિર નહિ બને અને તેણીએ આગળના સફરમાં પૂરી નમાઝ પઢવી પડશે. (દૂર્ર – શામી :૧/પ૩પ, બહેશ્તી ઝેવરઃર/૪૯)
Log in or Register to save this content for later.