[૯] જૂના દાતણ (મિસ્વાક)ને શું કરે ?

Chapter : તહારત

(Page : 50)

સવાલ :– જૂનું અને વપરાયેલું દાતણ પડેલું હોય તો તેવા દાતણને શું કરવું જોઈએ ? શું તેને ગમે તે જગ્યાએ ફેંકી શકાય છે ? અને મેં સાંભળ્યું છે કે દાતણને આડું મૂકવાથી પાગલપણું પેદા થવાનો ભય રહે છે. તો શું એ બરાબર છે ?

જવાબ :– જૂનાં વપરાયેલા દાતણને કોઈ સુરક્ષિત પાક–સાફ જગ્યાએ મૂકી દેવું જોઈએ અને દફન કરી દેવામાં આવે તો બેહતર છે, કારણકે તે એક સુન્નત અદા કરવાનું સાધન હતું. માટે તેનો અદબ જળવાય તો સારી વાત છે. બાકી તે જૂના દાંતણની લાકડી બીજા કોઈ જાઈઝ ઉપયોગમાં લેવી પણ જાઈઝ છે.

                આપે મિસ્વાક આડું મૂકવા વિશે સાંભળેલી વાત બેબુન્યાદ નથી. હઝરત સઈદ બિન જુબૈર (રદિ.)નું મંતવ્ય શામીમાં નકલ કરવામાં આવ્યું છે કે જે કોઈ માણસ મિસ્વાકને જમીન પર પાથરીને મૂકે અને તેના કારણે તે પાગલ થઈ જાય તો પોતાની જાત સિવાય બીજા કોઈને મલામત ન કરે. માટે ફુકહાએ કિરામ લખે છે કે, દાતણ ઊભું મૂકવું જોઈએ, આડું ન મૂકવું જોઈએ. (‘શામી ૧/ર૩પ ઝક.)

Log in or Register to save this content for later.