[૯૮] મસ્બૂક સજદએ સહવની સલામ ન ફેરવે

Chapter : નમાઝ

(Page : 141-142)

સવાલ :– ઈમામ સાહેબ પર સજદએ સહવ વાજિબ થાય અને ઈમામ સજદએ સહવ કરે એ સૂરતમાં ”મસ્બૂકે” (જેની એક, બે કે ત્રણ રકઅત ગઈ હોય તો પણ જમાઅતમાં શામેલ હોય) ઈમામ સાથે સજદએ સહવની સલામ ફેરવવી કે નહિ? જો ફેરવે તો શું હુકમ છે? અને ન ફેરવે તો શું હુકમ છે?

મસ્બૂકને મસ્બૂક હોવું યાદ હોય અને મસ્અલો યાદ ન હોય અને સલામ ફેરવે તો શું હુકમ છે?

મસ્બૂકને મસ્બૂક હોવું યાદ ન હોય, મસ્અલો યાદ હોય અને સલામ ફેરવે તો શું હુકમ છે?

મસ્બૂકને મસ્બૂક હોવું પણ યાદ ન હોય અને મસ્અલો પણ યાદ ન હોય તો શું હુકમ છે? અલગ અલગ વિગતવાર જવાબ આપશો.

જવાબ :– મસ્બૂક મુકતદીએ ઈમામ સાથે સજદએ સહવ કરવો વાજિબ છે, પરંતુ સહવની સલામ કહેવી અને ફેરવવી જાઈઝ નથી.

               જો મસ્બૂકને પોતાનું મસ્બૂક હોવું યાદ હોય અને સલામે સહવનો મસ્અલો યાદ ન હોય અને સહવની સલામ કહી દે તો મસ્બૂકની નમાઝ ફાસિદ થઈ જશે, એવી જ રીતે તેને પોતાનું મસ્બૂક હોવું યાદ હોય અને મસ્અલો પણ જાણતો હોય, છતાં સહવની સલામ ઈમામ સાથે કહી દે તો પણ તેની નમાઝ ફાસિદ થઈ જશે. જો મસ્બૂકને પોતાનું મસ્બૂક હોવું યાદ ન રહે, અને મસ્અલાની જાણ હોવા છતાં ભૂલથી સહવની સલામ કહી દે તો તેની નમાઝ ફાસિદ નહિ થાય અને પોતાની છૂટેલી નમાઝ પૂરી કર્યા પછી, ભૂલથી સહવની સલામ કહેવા બદલ સજદએ સહવ પણ વાજિબ નથી. કારણ કે સહવની સલામ વખતે ઈમામની ઈકિતદામાં નમાઝ પઢી રહયો હતો, અને મુકતદીના સહવથી સજદએ સહવ વાજિબ નથી. મસ્બૂકને પોતાનું મસ્બૂક હોવું યાદ ન રહે અને સહવના સલામના મસ્અલાની પણ જાણ ન હોય, અને આવી સૂરતમાં  તે ઈમામ સાથે સહવની સલામ કહી આપે, તો તેની નમાઝ ફાસિદ નહિં થાય, અને તેણે સજદએ સહવ પણ નહિ કરવો પડે. ખુલાસો આ છે કે જો પોતાનું મસ્બૂક હોવું યાદ હોવા છતાં ઈમામ સાથે સહવની સલામ કહી આપી તો મજકૂર મસ્બૂકની નમાઝ ફાસિદ થઈ જશે, ચાહે તેને મસ્બૂક માટે સહવના સલામના મસ્અલાની જાણ હોય કે ન હોય, અને પોતાનું મસ્બૂક હોવું યાદ ન હોવાની હાલતમાં ઈમામ સાથે સહવની સલામ કહી આપી તો તેની નમાઝ ફાસિદ નહિ થાય, ચાહે તેને મસ્અલાની જાણ હોય કે ન હોય, અને તેણે ભૂલથી સલામ કહેવા બદલ પોતાની નમાઝના અંતમાં સજદએ સહવ પણ કરવો પડશે.

(શામી–૧/૪૯૯, બદાઈઅ– ૧/૧૭૬)

Log in or Register to save this content for later.