[૯૭] ફર્ઝ કે સુન્નતમાં પહેલો કઅ્‌દહ છૂટી જાય

Chapter : નમાઝ

(Page : 140-141)

સવાલ :– ચાર રકઅતવાળી નમાઝમાં બીજી રકઅતના કઅ્‌દહમાં ઈમામ અથવા ઘરે નમાઝ પઢતો માણસ બેસવાના બદલે ભૂલથી ઉભો થઈ જાય તો નમાઝ કેવી રીતે દુરૂસ્ત થશે અને સુન્નત નમાઝમાં આવી ભૂલ થાય તો તેનો શું હુકમ છે?

જવાબઃ– જો ફર્ઝ નમાઝનો પહેલો કઅ્‌દહ ભૂલથી છોડીને ઉભો થઈ ગયો અને ઘૂંટણમાંથી તેના પગ બિલ્કુલ સીધા થઈ ગયા તો હવે તેણે કઅ્‌દહમાં ન બેસવું જોઈએ બલ્‌કે કઅ્‌દહ છૂટવા બદલ સજદએ સહવ કરી લેવો વાજિબ છે. અને સજદએ સહવ કરવાથી નમાઝ દુરૂસ્ત થઈ જશે, ચાહે ઈમામ હોય કે એકલો નમાઝ પઢનાર હોય. જો ચાર રકઅત સુન્નત નમાઝમાં આ પ્રમાણેની ભૂલ થઈ જાય તો પણ આ જ હુકમ છે કે સજદએ સહવ કરી લેવામાં આવે અને કઅ્‌દહ તરફ પાછું ન ફરવામાં આવે, કારણ કે સહીહ મંતવ્ય મુજબ ચાર રકઅત વાળી સુન્નત – નફલ નમાઝનો પહેલો કઅ્‌દહ પણ વાજિબ છે ફર્ઝ નથી.

(શામી – ૧/૩૦૮, ૪૯૯)

Log in or Register to save this content for later.