[૯૪] ઈમામ કઅ્‌દએ ઉલા છોડી ઉભા થઈ જાય

Chapter : નમાઝ

(Page : 138-139)

સવાલ :– અમારે ત્યાં મગરિબની નમાઝમાં ઈમામ સા. બે રકઅત પછી પહેલા કઅ્‌દહમાં બેસવાનું ભૂલીને ઊભા થઈ ગયા. તે વખતે મુકતદીઓએ લુકમો આપ્યો. ઈમામ સા. ઊભા થવાના કરીબ હતા છતાં કઅ્‌દહમાં બેસી ગયા. પછી ત્રીજી રકઅત પઢીને સજ્‌દએ સહ્‌વ કરવાને બદલે નમાઝ ફરીથી દોહરાવી લીધી, કિંવા ફરીથી જમાઅત કરી. આ બાબતમાં શરઈ હુકમ શું છે ?

જવાબ :– ઘૂંટણમાંથી પગ સીધા થઈ ગયા એટલે ઊભા થવાના કરીબ ગણાશે. આવી હાલતમાં ઈમામ સાહેબે ઉભા થઈ જવું જોઈતું હતું અને કઅ્‌દએ ઉલા છુટી જવા બદલ સજદએ સહ્‌વ કરવો જોઈતો હતો. તે છતાં તેઓ બેસી ગયા તો નમાઝ ફાસિદ ન થઈ હતી અને તેમણે મોડું થવા બદલ સજદએ સહ્‌વ કરવો જોઈતો હતો અને સજદએ સહ્‌વ ન કર્યો તો વખતની અંદર અંદર નમાઝ દોહરાવવી જોઈતી હતી. માટે પૂછેલી સૂરતમાં ઈમામ સાહેબનું નમાઝ દોહરાવવું એ ફિકહની રૂએ દુરૂસ્ત છે.                 (શામી, ભાગ–૧/૪૯૭, ઈ. મુફતી : ૩૬૭)

Log in or Register to save this content for later.