[૯ર] પહેલા કઅ્‌દહમાં દુરૂદ શરીફ શરૂ કરી દે

Chapter : નમાઝ

(Page : 136-137)

સવાલ :– સુન્નતે મુઅક્‌કદહ–ગેર મુઅક્‌કદહ અને વાજિબ, નફલમાં કોઈ વાજિબ છૂટી જાય અથવા પહેલા કઅ્‌દહમાં દુરૂદ શરીફ ‘‘અલ્લાહુમ્મ સલ્લિ સુધી પઢે તો ઉપર જણાવેલ નમાઝોમાં સજદએ સહ્‌વ વાજિબ થશે કે નહિં ? કે ફકત ફર્ઝ નમાઝમાં વાજિબ થશે ?

જવાબ :–  વાજિબ, સુન્નતે મુઅક્‌કદહ–ગેર મુઅક્‌કદહ અને નફલમાં જો ભૂલથી કોઈ વાજિબ છૂટી જાય તો સજ્‌દએ સહ્‌વ વાજિબ થશે, જેવી રીતે ફર્ઝ નમાઝમાં વાજિબ છૂટી જવાથી સજ્‌દએ સહ્‌વ વાજિબ થાય છે.                                    (શામી : ૧/પ૦પ)

વાજિબ અને સુન્નતે મુઅક્‌કદહમાંથી ઝોહર અને જુમ્આ પહેલાંની ચાર સુન્નતોના કઅ્‌દએ ઊલામાં તશહ્‌હુદ પછી ભૂલથી જો અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદિન્‌ સુધી દુરૂદ પઢી લીધું તો સજ્‌દએ સહ્‌વ વાજિબ થશે અને જો એથી ઓછા શબ્દો પઢી અટકી ગયો તો સજ્‌દએ સહ્‌વ વાજિબ નહિં થાય.

               અને જુમ્અહ પછીની ચાર સુન્નતોના કઅ્‌દએ ઊલામાં ભૂલથી દુરૂદ શરીફ પઢવાની સૂરતમાં સજ્‌દએ સહ્‌વ વાજિબ થવામાં ઉલમાનો ઈખ્તિલાફ છે, બાકી ફકત અલ્લાહુમ્મ સલ્લિ પઢવાથી તો સજ્‌દએ સહ્‌વ કોઈ નમાઝમાં વાજિબ નહિં જ થાય.

               સુન્નતે ગેર મુઅક્‌કદહ અને નફલના કઅ્‌દએ ઊલામાં દુરૂદ શરીફ પૂરું પઢી લે તો પણ સજ્‌દએ સહ્‌વ વાજિબ નહિં થાય, બલકે આ નમાઝોમાં તશહ્‌હુદ પછી દુરૂદ શરીફ પઢવું મુસ્તહબ છે.

(શામી : ૧/૪પ૪)

Log in or Register to save this content for later.