Chapter : તહારત
(Page : 47)
સવાલ :– કૂચો કરેલું દાતણ કૂચો નીચે રહે તે રીતે ઊંધું અથવા આડુ ન મૂકવું જોઈએ; બલકે કૂચો ઉપર રહે તે રીતે ઊભું મૂકવું જોઈએ, નહિ તો પાગલપણાની અસર થઈ જવાનો સંભવ રહે છે, શું આ વાત સાચી છે ?
જવાબ :– દાતણ જમીન ઉપર પડતું મૂકવા વિષે શામીમાં હઝરત સઈદ બિન જુબૈર (રદિ.)થી નકલ છે કે,
‘‘જે માણસ પોતાનું દાતણ જમીન ઉપર (બીછાવીને લાંબુ) મૂકી દે અને તેના કારણે પાગલ થઈ જાય તો તે પોતાની જાત સિવાય અન્ય કોઈને મલામત ન કરે.
અને દુર્રે મુખ્તારમાં આદાબે મિસ્વાકમાં દાતણને ઊભું મૂકવા લખ્યું છે. (‘દુર્રે મુખ્તાર, ‘શામી ૧/૭૮)
Log in or Register to save this content for later.