Chapter : તહારત
(Page : 45)
સવાલ :– વુઝૂ કરતી વખતે દાંતોમાંથી લોહી નીકળતું રહે છે અને તેના કારણે વુઝૂથી ફારિગ થવામાં મોડું થવાથી જમાઅતની રકઅતો છૂટી જાય છે, કોઈ વાર પૂરી જમાઅત પણ છૂટી જાય છે તો શું હુકમ છે ?
જવાબ :– જો વુઝૂ કરતી વખતે કોગળા કરવાથી અથવા દાંતણ કે આંગળી ઘસવાથી દાંતમાંથી લોહી નીકળતું હોય અને તેના કારણે સુન્નતો અથવા જમાઅતની રકઅતો કે પૂરી જમાઅત છૂટી જતી હોય તો એ વાતની ગુંજાઈશ છે કે વુઝૂ કરતી વખતે કોગળા, દાતણ અને આંગળીઓ ઘસવી, જેના કારણે લોહી નીકળતું હોય વુઝૂમાં તેને છોડી દેવામાં આવે.
(‘ફતાવા દારુલ ઉલૂમ ૧/૧૧૯)
Log in or Register to save this content for later.